મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના મેનેજર સહિત વધુ બે આરોપીના જામીન મંજુર


SHARE











મોરબીના ચકચારી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના મેનેજર સહિત વધુ બે આરોપીના જામીન મંજુર

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેની ફરિયાદ આધારે પકડાયેલા આરોપીમાંથી વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર કરવામાં આવેલ છે જેમાં હાલમાં ઓરેવા ગ્રુપના મેનેજર અને કોન્ટ્રાકટરને હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

મોરબીમાં ૩૦/૧૦/૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ લોકોના મોત થયા હતા જેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ ઉપરાંત મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ, મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર આમ કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં છ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવેલ છે અને ત્યાર બાદ ઓરેવા ગ્રુપના મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશભાઈ પરમારે હાઈકોર્ટમાંથી જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી બાદ હાઈકોર્ટે બંને આરોપીના જામીન મંજુર કર્યા છે જેથી આ ગુનામાં હાલમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ અને કોન્ટ્રાકટર દેવાંગ પરમાર મોરબીની જેલમાં છે




Latest News