વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખભાઇ પટેલને જેલમાં વીઆઇપી સુવિધા મળતી હોવાની ભોગ બનેલા પરિવારોનો ગંભીર આક્ષેપ


SHARE











મોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખભાઇ પટેલને જેલમાં વીઆઇપી સુવિધા મળતી હોવાની ભોગ બનેલા પરિવારોનો ગંભીર આક્ષેપ

મોરબીની ઝૂલતાપુલ દુર્ઘટનામાં પકડાયેલ ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે તેઓને વીઆઇપી સુવિધા મળી રહી છે તેવો આક્ષેપ ઝૂલતાપુલ દુર્ઘટના ભોગ બનેલા પરીવારના લોકોએ કર્યો છે અને જયસુખભાઈ પટેલને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડીજીપી વિકાસ સહાય અને અધિક પોલીસ મહાનિર્દેશક જેલને રજિસ્ટર્ડ એડી કરીને રજૂઆત કરી છે

મોરબીમાં ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતો પુલ રૂરી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેની ફરિયાદ આધારે ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ સહિતના કુલ મળીને ૧૦ આરોપીને પકડવામાં આવ્યા હતા તે પૈકીનાં ૬ આરોપીના જામીન મંજૂર થઈ ગયેલ છે અને ચાર આરોપી હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે ઝૂલતાપુલ દુર્ઘટના ભોગ બનેલા પરીવારના લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ રાજકીય વગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી ગમે ત્યારે બહાર જવાની સુવિધા ભોગવે છે જેથી તેની ટ્રાન્સફર વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતની કોઈપણ મધ્યસ્થ જેલમાં કરવામાં આવે તે જરૂરી છે અને મોરબીની સબ જેલના છેલ્લા ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજને ચેક કરવામાં આવે તેવી પણ માંગણી કરેલ છે આટલું જ નહીં મોરબી સેશન્સ કોર્ટમાં પણ ઘણીવાર કાર્યવાહી માટે ખાનગી વાહનમાં તેને લઈને આવે છે આમ સ્થાનિક પોલીસ અધિકારી અથવા જેલતંત્રના અધિકારીઓ પરોક્ષ રીતે મદદ કરીને વીઆઈપી સવલત પૂરી પડે છે તેમજ અરજીમાં લખ્યું છે કે, મોરબી સેશન્સ કોર્ટમા કેસની ધીમી ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. અને આરોપીના મળતિયાઓ પીડિતોને આરોપી વિરુદ્ધ નિવેદન ન આપવા માટે જણાવી રહ્યા છે. તો સાહેદોને ધાકધમકી આપવામાં આવી રહી છે.






Latest News