ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા ગયેલા આધેડ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા ગયેલા આધેડ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા માટે ગયેલા આધેડ સહિત બે વ્યક્તિઓને લાકડી વડે ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા આધેડ સહિતના બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધેડે ત્રણ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા અને માલ ઢોર ચરાવવાનો ધંધો કરતા ધનાભાઈ ખેંગારભાઈ ફાંગલીયા જાતે ભરવાડ (૫૫)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિહાભાઈ સતાભાઈ પાંચિયા, શૈલેષભાઈ હીરાભાઈ પાંચિયા અને જયેશભાઈ વિહાભાઈ પાંચિયા રહે. બધા પાંચ દ્વારકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના આહોર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહીમભાઈ નૂરમહંમદભાઈની વાડી પાસે તેઓ આરોપીઓને માલઢોર ચરાવવા બાબતે સમજાવવા માટે ગયા હતા ત્યારે વિહાભાઈ પાંચિયાએ તેની પાસે રહેલ લાકડી વડે તેઓને જમણા કાનના ભાગે માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા જીવણભાઈને ત્રણેય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી લાકડી વડે માર માર્યો હતો અને માથામાં ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ફરિયાદી સંહિતા બંને વ્યક્તિઓએ સારવાર લીધા બાદ આધેડે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News