તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા ગયેલા આધેડ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા ગયેલા આધેડ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા માટે ગયેલા આધેડ સહિત બે વ્યક્તિઓને લાકડી વડે ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા આધેડ સહિતના બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધેડે ત્રણ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા અને માલ ઢોર ચરાવવાનો ધંધો કરતા ધનાભાઈ ખેંગારભાઈ ફાંગલીયા જાતે ભરવાડ (૫૫)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિહાભાઈ સતાભાઈ પાંચિયા, શૈલેષભાઈ હીરાભાઈ પાંચિયા અને જયેશભાઈ વિહાભાઈ પાંચિયા રહે. બધા પાંચ દ્વારકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના આહોર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહીમભાઈ નૂરમહંમદભાઈની વાડી પાસે તેઓ આરોપીઓને માલઢોર ચરાવવા બાબતે સમજાવવા માટે ગયા હતા ત્યારે વિહાભાઈ પાંચિયાએ તેની પાસે રહેલ લાકડી વડે તેઓને જમણા કાનના ભાગે માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા જીવણભાઈને ત્રણેય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી લાકડી વડે માર માર્યો હતો અને માથામાં ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ફરિયાદી સંહિતા બંને વ્યક્તિઓએ સારવાર લીધા બાદ આધેડે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News