મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાં કરાયેલ અરજીની સુનાવણીમાં ભાગ લેવા વિકટીમ એસો.એ કરેલ અરજીને ગ્રાહ્ય રાખતી કોર્ટ


SHARE











મોરબી ઝૂલતા પુલ કેસમાં કરાયેલ અરજીની સુનાવણીમાં ભાગ લેવા વિકટીમ એસો.એ કરેલ અરજીને ગ્રાહ્ય રાખતી કોર્ટ

મોરબીની કોર્ટમાં ઝુલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કલમ ૩૦૨ નો ઉમેરો તથા કંપનીને આરોપી બનાવવા માટે અને તેઓને સુનાવણીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે તે માટેની અરજી કરવામાં આવી હતી જે અરજીને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામા આવેલ છે અને અરજદારે અગાઉ કરેલ અરજીમાં સુધારો કરવા માટે પરવાનગી આપવી કે કેમ તેની સુનાવણી આગામી દિવસોમાં થશે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં ભોગ બનેલા પરિવારો દ્વારા વિકટીમ એસો. બનાવવામાં આવેલ છે તેના સભ્ય નરેન્દ્રભાઈ નાનજીભાઇ પરમાર દ્વારા મોરબીની સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પ્રોસીઝર કોર્ટની કલમ ૧૭૩ (૮) મુજબ અરજી કરવામાં આવેલ હતી અને આ કેસમાં વિશેષ તપાસ માટે જે અરજી કરવામાં આવી છે તેની સુનાવણી પેન્ડિંગ છે દરમ્યાન નરેન્દ્રભાઈ નાનજીભાઇ પરમાર દ્વારા તેઓને વિશેષ તપાસ માટે કરવામાં આવેલ અરજીના કામે સુનાવણીમાં ભાગ લેવા દેવામાં આવે તેની પરવાનગી માંગતી અરજી કરવામાં આવી હતી જે અરજીને મોરબી જિલ્લા સેશન્સ કોર્ટના જજ સાહેબે ગ્રાહ્ય રાખેલ છે અને આ કેસમાં વિશેષ તપાસ કરવા દેવી કે કેમ ?, વિશેષ તપાસ માટે ભોગ બનનાર દ્વારા કરેલ અરજીમાં સુધારો કરવા પરવાનગી આપવી કે કેમ ? તેની સુનાવણી આગામી દિવસોમાં થશે તેવી માહિતી વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી મળેલ છે






Latest News