ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતો યુવાન ઘરેથી કંઇ કહ્યા વિના ગુમ, જાણ કરાતા પોલીસ તપાસ શરૂ


SHARE











મોરબીના રવાપર ગામે રહેતો યુવાન ઘરેથી કંઇ કહ્યા વિના ગુમ, જાણ કરાતા પોલીસ તપાસ શરૂ

મોરબીના રવાપર ગામે રહેતા પરિવારનો યુવાન અભ્યાસ કર્યા બાદ ટાઇલ્સ ટ્રેડીંગનું કામ કરતો હતો અને દરમિયાનમાં તે યુવાન ગઈકાલે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કયાંક ચાલ્યો ગયો હોય પરિવારજનો દ્રારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં તેનો પતો ન લાગતા અંતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા હાલ પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી યુવાનની શોધખોળ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે આવેલા રાધે હાઇટસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ ગણેશભાઈ અઘારા જાતે પટેલ (ઉમર ૫૧) નો પુત્ર રોનક કિશોરભાઇ અઘારા (ઉંમર ૨૦) કે જે અભ્યાસ કર્યા બાદ ટાઇલ્સ લે-વેચનું કામકાજ કરતો હતો. તે ગઈકાલ તા.૫-૨ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને કંઈ પણ જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે.જેથી પરિવારજનો દ્રારા શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ રોનકનો કોઈ અતો-પતો ન લાગતા અંતે ગુમ થયેલા યુવાનના પિતા કિશોરભાઈ અઘારા દ્વારા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને પોલીસ મથક ખાતે હાલ ગુમ સુધા નોંધ દાખલ કરી ને ગુમ થયેલા રોનકને શોધવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયેલ છે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ ચાવડા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

મૃતક માતાની યાદ આવતા દવા પી ગયેલ પરણીતા સારવારમાં

મોરબીના જુના સાદુરકા ગામે ભાવેશભાઈ મેઘજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના જમનાબેન રાહુલભાઈ રણજીતભાઈ નાયકા જાતે આદિવાસી (ઉમર ૨૦) નામની પરિણીતા તા.૩૦-૧ ના સાંજે સાતેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી ગઈ હોય તેને અસર થતા અત્રે મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી તેણીનો લગ્નગાળો એક વર્ષનો હોય અને સંતાન ન હોય હાલ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી પીએસઆઇ બી.એ.ગઢવીએ તપાસ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે ભોગ બનેલ જમનાબેનના માતાનું થોડા સમય પહેલા અવસાન થયેલું હોય અને તેઓના મૃતક માતાની યાદ આવતા લાગણીસભર થઈને તેઓએ ભૂલથી ઝેરી દવાયુક્ત ગ્લાસમાં પાણી પી લીધું હતું જેથી તેણીને અસર થઈ હતી.






Latest News