મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે જમણવારનું આમંત્રણ ન આપતા થયેલ માથાકૂટમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજૂર


SHARE







વાંકાનેરના તીથવા ગામે જમણવારનું આમંત્રણ ન આપતા થયેલ માથાકૂટમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજૂર

વાંકાનેર તાલુકાના તીથવા ગામે માતાજીના જમણવારમાં આમંત્રણ નહી આપવા બાબતે માથાકૂટ થયેલ હતી અને તે ગુનામાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા તે બંને આરોપીઓના સેસન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર કરવામાં આવેલ છે. 

આ કેસની વિગત મુજબ આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ અઘારા તથા ગોવિંદભાઈ કાનજીભાઈ અઘારા રહે. બંને તીથવા સામે આઈપીસી કલમ ૩૨૨, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ મારામારીનો ગુન્હો દાખલ થયેલ હતો. જેમાં  એફઆઈઆર ઉપર નામદાર સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ હતી જેમાં આરોપીઓના એડવોકેટની ધારદાર દલીલોને ધ્યાને લઈ શરતોને આધીન બંને આરોપીની જામીન અરજી કોર્ટે મંજુર કરેલ છે. આ બંને આરોપી વતી વાંકાનેર બાર એસો.ના પૂર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, વિવેક વરસડા, ભગીરથસિંહ જાડેજા તથા વિજય બાંભવા રોકાયેલ હતા.






Latest News