મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાની મધુપુર ગામે આવેલા મંદિરે સાધારણ સભા યોજાઈ


SHARE











મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાની મધુપુર ગામે આવેલા મંદિરે સાધારણ સભા યોજાઈ

મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાની તાજેતરમાં મોરબી તાલુકાનાં મધુપુર ગામે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સાધારણ સભાની બેઠક મળી હતી જેમાં રાજપુત કરણી સેનાના તાલુકા પ્રમુખો, જીલ્લા પ્રભારી તેમજ શહેર અને જીલ્લા પ્રમુખો સહિતના યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠકમાં મોરબી જીલ્લા રાજપુત કરણી સેનાની કારોબારી સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં સંગઠનના સંચાલનની જવાબદારી કારોબારી સભ્યોને આપવામાં આવેલ છે તેમજ કારોબારીની મિટિંગ મહીનાના છેલ્લા રવિવારે મળશે અને જીલ્લાની સામાન્ય સભા દર ત્રણ મહિને અલગ-અલગ તાલુકામાં મળશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ખાસ કરીને સમાજના વિદ્યાર્થીઓ, આર્થિક રીતે નબળા લોકો, રાજપુત સમાજના વિધવા બહેનોને સહાય અને તેમના બાળકોને શિક્ષણ માટે પુસ્તકો આપવા જેવા સમાજ ઉપયોગી કાર્યો માટે ભંડોળ ઉભું કરવાનું આયોજન આ મિટીંગમાં કરવામાં આવ્યું હતું. આ તકે દીગુભા ઝાલા (જીલ્લા પ્રભારી), જયદેવસિંહ ઝાલા (મોરબી જીલ્લા પ્રમુખ) તેમજ વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News