મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની શાળા નં-૨ ના બાળકો માટે શૈક્ષણીક પ્રવાસ યોજાયો


SHARE











મોરબીની શાળા નં-૨ ના બાળકો માટે શૈક્ષણીક પ્રવાસ યોજાયો

મોરબી તાલુકાના દરબારગઢ ચોકમા આવેલ તેમજ પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા માટે પસંદ થયેલ તાલુકા શાળા નં-૨ ના ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના સિધ્ધાંતો દ્વારા પ્રકૃતિવાદ, વાસ્તવવાદ, અનુભવ દ્વારા શિક્ષણ મેળવે તેવા પ્રયાસનો હેતુ સિધ્ધ થાય તે માટે શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરેલ હતું જેમાં જામનગર જિલ્લામાં આવેલ નરારા ટાપુમાં દરિયાઈ જીવસૃષ્ટિ અને વનસ્પતિ જેવી કે ઓક્ટોપસ, જેલ ફિશ, ઢોંગી માછલી, કરચલા, સમુદ્રી કાકડી, સ્ટાર ફિશ, કોરોન, મેગ્રુંવ, જુદી જુદી પ્રકારની લીલ, સમુદ્રી નાના જીવો વગેરેનું વાસ્તવિક અનુભવજન્ય શિક્ષણ મેળવીને વિદ્યાર્થિનીઓ રોમાંચિત થઈ હતી તથા આરાધના ધામમાં મહાન સમાજ સુધારક અને વ્યસનથી થતી આડઅસર અને સાદું જીવન જૈવિક રસાયણ વગરનો શુધ્ધ ખોરાક ખાવો જોઈએ તેનો એહસાસ થયેલ હતો અને રિલાયન્સ મોલમા બજાર, માંગ, ભાવ અને માર્કેટિંગનો અનુભવ વાસ્તવમા મળેલો. આમ આ પ્રવાસના આયોજનથી ધો. ૬થી ૮ની વિદ્યાર્થિનીઓને ભાર વગરનું ભણતર પ્રાપ્ત થયું હતું તેમજ પ્રવાસને સફળ બનાવવા પ્રહલાદભાઈ, સ્વાતિબેન, નફિસાબેન વગેરે શિક્ષકોએ ખૂબ મહેનત ઉઠાવી હતી.આમ વિદ્યાર્થીનીને આજીવન પ્રવાસની યાદ રહેશે.






Latest News