મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે ધારાસભ્ય, મહંત અને પત્રકારોના હસ્તે પ્રસાદનું વિતરણ કરાયું: યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધો માટે કર્યું વિશેષ આયોજન


SHARE











મોરબીના જલારામ મંદિરે ધારાસભ્ય, મહંત અને પત્રકારોના હસ્તે પ્રસાદનું વિતરણ કરાયું: યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધો માટે કર્યું વિશેષ આયોજન

ગઇકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના અયોધ્યાપૂરી રોડે આવેલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સવારે ૧૦ કલાકે ધૂન-ભજન૧૧ કલાકે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના હસ્તે પ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતુ ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબીના પત્રકારો હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ અને જિગ્નેશભાઈ ભટ્ટ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનોના હસ્તે લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ૫૧૦૦ પેટેક પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બપોરે ૧૨:૩૫ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ઘેલાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે ગઇકાલે ઐતિહાસિક પર્વની વૃદ્ધાશ્રમ સહિતના વૃદ્ધો સાથે ઉજવણી કરી હતી. અને ત્યારે મોટી સંખ્યામાં વૃદ્ધો હાજર રહ્યા હતા અને અયોધ્યા ખાતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ સ્કાય મોલ મલ્ટીપ્લેક્સ ખાતે નિહાળીને ધન્યતા અનુભવી હતી. અને ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, વૃદ્ધોએ અયોધ્યાના કાર્યક્રમને લાઈવ જોઇને તેઓના ચહેરા ઉપર જે ખુશી જોવા મળી તે જોઈને અમે તમામ ધન્ય બની ગયા છીએ






Latest News