મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે અમૃત યજ્ઞ યોજાયો


SHARE







રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે અમૃત યજ્ઞ યોજાયો

મોરબીમાં સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે મહંત પરિવાર દ્વારા અયોધ્યામાં રામ મંદિર ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તે અંતર્ગત વિશ્વ શાંતિ અને આરોગ્ય માટે હાલમાં જે નવરાત્રી ચાલે તેને ધ્યાને રાખીને સર્વ સમાજને સાથે રાખી અમૃત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૦૦ શ્રીફળ હોમી અને આ યજ્ઞ કરવામાં આવેલ હતો આ યજ્ઞમાં મુખ્ય યજમાન  વર્તમાન મહંત અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી તથા લઘુમહંત નિલેશગીરી તથા કોઠારી અક્ષયગીરી મંદિરના વ્યવસ્થાપક ધીમલગીરી યજ્ઞમાં અન્ય સમાજના આગેવાનઓ જેમાં એડવોકેટ કમલેશગીરી, એડવોકેટ જગદીશભાઈ સરવૈયાતેજસભાઈ સોલંકી, હર્ષદભાઈ ઝાલા, ચમનલાલ કુંડારીયા, અશોકભાઈ કડીવાર, જીલાભાઇ, પ્રેમજીભાઈ ત્રિભોવનભાઈ, અમિતભાઈ ગણાત્ર, ભીખુભાઈ સિંધી, મુકેશભાઈ શર્મા, વિનુભાઈ સોલંકી, નવનીતભાઈ કારીયા, ભાવેશભાઈ, નવીનચંદ્ર પંડ્યા, હિતેશભાઇ શુકલ સહિતના હાજર રહ્યા હતા અને આ યજ્ઞના આચાર્ય પદે વિદ્વાન વિપુલભાઈ નટુભાઈ ભૂદેવ બિરાજેલ અને સર્વ સમાજના લોકોના હસ્તે શ્રીફળની આહુતિ આપી હતી






Latest News