મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં એસપી રોડે કાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન


SHARE







મોરબીમાં એસપી રોડે કાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન

મોરબી જીલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કાલે  દિવાળી જેવો માહોલ હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીમાં આવેલા એસપી રોડ ઉપર રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે ત્યાં આવેલા એપાર્ટમેંટમાં રહેતા પરિવારો દ્વારા ભવ્ય શોભાયાત્રા અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

કાલે અયોધ્યા ખાતે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેની દેશભરમાં ઉજવણી થવાની છે ત્યારે મોરબીના રવાપર ગામે આવેલ એસપી રોડ ઉપર છેલ્લા વર્ષોમાં અકે બે નહીં પરંતુ ૭૦ થી વધી એપાર્ટમેંટ બનાવવામાં આવેલ છે તે મકાનોમાં રહેતા પરિવારો દ્વારા આ ઉજવણીને યાદગાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા ૨૨ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે લીલાપર કેનાલ રોડના ખૂણા પાસેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવા વસ્ત્રો સાથે અંદાજે પાંચ હજાર જેટલા લોકો જોડાશે અને આ શોભાયાત્રા એસપી રોડની તમામ સોસાયટીઓમાં ફરશે. જેમાં રામ, સિતા, લક્ષ્મણ, વાનરસેના, સબરી સહિતના પાત્રો તૈયાર કરવામાં આવેલ છે અને ઘોડાગાડી સહીતના આકર્ષણો પણ રાખવામા આવેલ છે અને છેલ્લે મહાઆરતી તેમજ મહાપ્રસાદ સ્થાનિક લોકો માટે જ રાખવામા આવેલ છે અને સાંજે એલ બાઇક રેલી મોરબીના એસપી રોડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીની રાખવામા આવી છે ત્યારે આતિસબાજી પણ કરવામાં આવશે

નાસ્તગલી વેપારી મંડળ

મોરબીના નાગર દરવાજાની બાજુમાં આવેલ નાસ્તાગલીના વેપારીઓ દ્વારા અયોધ્યા ખાતે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તેને ધ્યાનમાં રાખીને કાલે બપોરે સમૂહ પ્રસાદનું આયોજન કર્યું છે જેમાં નાસ્તાગલીમાં દુકાન ધરાવતા વેપારીઓ અને તેના પરિવારના લોકો માટે બપોરે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ આયોજનમાં નાસ્તાગલીના તમામ વેપારીઓનો સહયોગ મળેલ છે






Latest News