ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી અર્ધ બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી અર્ધ બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી પાસે અર્ધ બેભાન હાલતમાં યુવાન બીમારી હાલતમાં મળી આવ્યો હતો જેથી તેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે હાલમાં તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે અજાણ્યો ૪૫ થી ૫૦ વર્ષનો યુવાન બીમારી સબક અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને ૧૦૮ ને જાણ કરવામાં આવતા ૧૦૮ ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે અજાણ્યા પુરુષનું મોત નીપજયું હતું જેથી કરીને રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

ઝેરી અસર

મોરબી નજીકના સનાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતાં પરિવારની ૧૬ વર્ષની દીકરી સાવલીબેન ઇડાભાઇ માવી રાત્રિના સમયે ભૂલથી દવાયુક્ત પાણી પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News