ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગ્રાહકોને સમયસર ન્યાય માટે વડાપ્રધાનને રજૂઆત


SHARE











મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગ્રાહકોને સમયસર ન્યાય માટે વડાપ્રધાનને રજૂઆત

દેશ, રાજ્ય અને જિલ્લાની કન્ઝીયુમર કોર્ટમાં ઘણાં વર્ષોથી કેસનો નિકલા કરવામાં આવતો નથી જેથી કરીને ગ્રાહકોને સમયસર ન્યાય મળતો નથી અને સરકારની યોજના ઉપરથી અને ગ્રાહક સુરક્ષા મંડળ ઉપરથી ગ્રાહકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે ગ્રાહકને વહેલમાં વહેલી તકે કેસ ચલાવીને ન્યાય આપવામાં આવે તેના માટે વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા હાલમાં વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જે તેમાં જણાવ્યુ છે કે, ગ્રાહકના હક અને હિત માટે ઘણાં સરસ કાયદા લાવવામાં આવ્યા છે અને ૯૦ દિવસમાં જજમેન્ટ આવી જશે તેવું કહેવામા આવે છે જો કે, હાલમાં ગુજરાતની પરીસ્થીતી એવી છે કે, દિલ્હીમાં ચાલતા કેઇસ આઠ આઠ વર્ષ થાય છે છતાં જજમેન્ટ આવતાં નથી અને અમદાવાદ સ્ટેટ કમીશનમાં દશ દશ વર્ષ થયાં છતાં જજમેન્ટ આવતા નથી તેમજ જીલ્લા ગ્રાહક તકરાર આયોગમાં પાંચ પાંચ વર્ષ થયાં છતાં જજમેન્ટ આવતાં નથી જેના કારણે ગ્રાહકને તાત્કાલીક પડે છે અને ન્યાય મળે તે યોજના નિષ્ફળ જતી હોય તેવુ લાગી રહયું છે જેથી કરીને ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા પરથી વિશ્રવાસ ઉઠતો જાય છે તેવુ જોવા મળી રહ્યું છે અને ઘણા કેસમાં તો અમુક વકિલો હાજર રહેતાં નથી જેથી તે વકિલોને કેઇસ ચલાવવામાં રસ નથી આવા વકિલોને કારણે યોજનાને નિષ્ફળ જાય તેવું લાગી રહ્યું છે જેથી આવા અરેગ્યુલર વકિલોની સનદો અચુક સમય માટે કેન્સલ કરવી જોઇએ જેથી ગ્રાહક તરફ ઘ્યાન આપી શકે અદાલત અને વકિલોની વચ્ચે પ્રજા પીસાઇ છે તો આ બાબત ગ્રાહકને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે






Latest News