મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના સાતનાલા પાસે ટ્રેન આડે પડતું મૂકનારા યુવાનના શરીરના કટકા થઈ જતાં મોત


SHARE











વાંકાનેરના સાતનાલા પાસે ટ્રેન આડે પડતું મૂકનારા યુવાનના શરીરના કટકા થઈ જતાં મોત

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર સાત નાલા પાસે ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી તેના શરીરને બે કટકા થઈ જવાના કારણે તે યુવાનમી મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા જગદીશભાઈ વશરામભાઈ વોરા જાતિ અનુ.જાતિ (૪૧)એ વાંકાનેર રાજકોટ રેલવે ટ્રેક ઉપર સાત નાલા પાસેથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર થઈ હતી અને કમરના ભાગેથી શરીરના બે કટકા થઈ જવાના કારણે જગદીશભાઈ વોરાનું મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પિતા વશરામભાઈ મોહનભાઈ વોરા જાતે અનુ. જાતિ (૬૯) રહે પેડક સોસાયટી દિગ્વિજયનગર વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ નારણભાઈ સુખાભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે






Latest News