ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી) કોર્ટમાં ચાલી ગયેલા દારૂ-બીયરના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











માળીયા (મી) કોર્ટમાં ચાલી ગયેલા દારૂ-બીયરના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો

માળીયા (મી.)ની કોર્ટમાં દારૂ બિયરનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને હાલમાં કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા માટે આદેશ કરેલ છે

બનાવની ટુંકમાં વિગત એવી છે કે માળીયા (મી.) તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૨૧/૧/૨૩ ના રોજ ફરીયાદી નીરવભાઈ માવજીભાઈ મકવાણાએ આરોપીઓ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ પટેલ અને પોપટભાઈ ઉર્ફે રમેશભાઈ બાબુભાઈ નળમળ ની સામે દારૂના જથ્થાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં આરોપીઓએ એક બીજા મળીને ટાટા ટ્રક ગાડીમાં ઈંગ્લીશ બીયર દારૂનો જથ્થો ભરીને ગાડીના માલિકે  ગાડીમાં  મોકલાવ્યો હતો અને પકડાયેલા બંને આરોપીઓ પોતાના હવાલા વાળી ગાડી ટાટા ટ્રક નંબર એમએચ ૦૪ જીસી ૧૭૨૪ વાળી માં પુઠાના સ્કેપની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી લાવી પુઠાના સ્કેપના ઈવે બીલ તથા ઈન્વોઈલ બીલ બનાવી રજૂ કરી ખોટા બીલ હોવાનુ જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને રાજય સેવકને ગેરમાર્ગે દોરી ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ બીયરનો જથ્થો પર પ્રાંતમાંથી આયાત કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની ૯,૫૦,૪૦૦ ની બોટલો તેમજ બીયર ટીન નંગ ૪૩૨૦ જેની કીમત ૪,૩૨,૦૦૦ આમ કુલ મળીને ૧૩,૮૨,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીઓની પરપકડ કરી હતી ત્યારબાદ તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા માળીયા ની કોર્ટમાં જજ એ.કે. સીંધ સાહેબ સમક્ષ કેસ ચાલી જતા આરોપીઓ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ પટેલ અને પોપટભાઈ ઉર્ફે રમેશભાઈ બાબુભાઈ નળમળને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપીના વકીલ તરીકે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા દિપક પી. ઓઝા (એડવોકેટ) રોકાયેલા હતા






Latest News