મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં પકડાયેલા આરોપીના કોર્ટમાંથી રેગ્યુલર જામીન મંજૂર


SHARE







મોરબીમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં પકડાયેલા આરોપીના કોર્ટમાંથી રેગ્યુલર જામીન મંજૂર

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૨૩ માં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે આરોપીની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ છે

બનાવની ટુંકમાં વિગત એવી છે કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકી રહે. હાલે પીપળી રોડ, હેવન્સ સ્ટેપરાઈઝર, કારખાનાની ઓરડીમાં મોરબી મુળ રહે. નાના જોરાવર પુરા તાલુકો સમી (પાટણ) વાળાની ધરપકડ કરી હતી અને આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ ડી.પી. મહીડા સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેમાં એડવોકેટ મનિષ પી .ઓઝાએ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીને ૨૫,૦૦૦ ના એક જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા






Latest News