મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને અયોધ્યામાં રામ મંદિરના ઈતિહાસથી વાકેફ કરાયા


SHARE







મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને અયોધ્યામાં રામ મંદિરના ઈતિહાસથી વાકેફ કરાયા

આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવાનો છે ત્યારે મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપવામાં આવી હતી.  ત્યારે ક્રિષ્ના સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદના મહેન્દ્રભાઈ સવસાણી, રાજુભાઈ બદ્રકિયા, જયદીપભાઇ દેત્રોજા અને રૂપેશભાઈ રાણપરા ઉપસ્થિત રહ્યા હતા અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા આપીને ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ તકે ક્રિષ્ના સ્કૂલ વતી ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયા તથા આચાર્ય મનીષભાઈ ચારોલા અને હાર્દિકભાઈ પાંચોટીયાએ સહિતના હાજર રહ્યા હતા






Latest News