ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી-જાંબુડિયા ગામનો નવી જીઆઇડીસી સામે વિરોધ: પ્રદુષણ ફેલાવાની દહેશત


SHARE











મોરબીના પાનેલી-જાંબુડિયા ગામનો નવી જીઆઇડીસી સામે વિરોધ: પ્રદુષણ ફેલાવાની દહેશત

મોરબીના પાનેલી ગામ નજીક સરકાર દ્વારા નવી જીઆઇડીસી બનાવવાની જાહેરત કરવામાં આવી છે જો કે, પાનેલી અને જાબુડિયા ગામે નવી જીઆઇડીસી સામે વિરોધ નોંધાવ્યો છે. અને તેના માટે બંને ગ્રામ પંચાયતે રાજ્યના મહેસુલ મંત્રીને રજુઆત કરી પણ કરી છે અને હાલમાં ઘણા કારખાનાઓનું પ્રદુષણ છે તેવામાં નવી જીઆઇડીસી બનશે તો પ્રદુષણ વધશે તેવી દહેશત વ્યક્ત કરી છે.

મોરબીના પાનેલી ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલે રાજ્યના મહેસુલ મંત્રીને લેખિત રજુઆત કરી છે કે, મોરબી જિલ્લા વહીવટી તંત્રએ પાનેલી-જાંબુડિયા ગામને જાણ કર્યા વગર કે મંજૂરી વગર પાનેલી અને જાંબુડિયા વચ્ચે ખરાબામાં જમીન ફાળવી તે જમીનમાં હાલ નવી જીઆઇડીસી બનાવવામાં આવી રહી છે. અને જીઆઇડીસીના પ્રાદેશિક મેનેજરે આ બન્ને ગ્રામ પંચાયતની ઉપરવટ જઈને આગોતરો હુકમ કરી તમામ શરતોનું પાલન કર્યું નથી. જેમાં વોટર બોડીના નીતિ નિયમોનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવેલ છે આટલું જ નહીં તળાવમાં આવતા વરસાદી પાણીના વોકળા અને વહેણ બંધ કરી દેવામાં આવેલ છે તેમજ ગુગળ, બાવળ, ગોરળને કાપી નાખીને પર્યાવરણને નુકશાન કરાયું છે

વધુમાં સરપંચે જણાવ્યુ છે કે, પાનેલી અને જાંબુડિયા વચ્ચે સર્વે નંબર ૧૪૦ અને ૧૪૬ ની જમીનમાં નવી જીઆઇડીસી બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી જો કે, હજુ બાંધકામ થયું નથી. અહિયાં જીઆઇડીસી માટે એક વર્ષ પહેલા સર્વે કરાયો હતો અને હાલમાં તંત્રએ આખે આખી જગ્યા લઈ લીધી છે અને જૂના નકશામાં રહેલા સિમ માર્ગ, મોરબીનો રોડ વાયા જાંબુડિયા રોડ અને ત્રણ ખાનગી સર્વે નંબર નવી માપણી સીટમાં દર્શાવ્યા જ નહીં ! અને ૧૯૯૩ નું જૂનું ગામ તળ જીઆઇડીસીમાં લઇ લીધું છે ?હાલમાં કારખાનાનું પ્રદૂષણ છે તેવામાં જો જીઆઇડીસી કાર્યરત કરવામાં આવશે તો આગામી દિવસોમાં પ્રદૂષણ હજુ વધશે તેવી દહેશત વ્યક્ત કરી છે જેથી બન્ને ગામના ૨૦૦૦૦ જેટલા લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેમ છે જેથી હાલમાં મહેસુલ મંત્રી સુધી આ મુદે રજૂઆત કરવામાં આવી છે






Latest News