મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી-જાંબુડિયા ગામનો નવી જીઆઇડીસી સામે વિરોધ: પ્રદુષણ ફેલાવાની દહેશત


SHARE











મોરબીના પાનેલી-જાંબુડિયા ગામનો નવી જીઆઇડીસી સામે વિરોધ: પ્રદુષણ ફેલાવાની દહેશત

મોરબીના પાનેલી ગામ નજીક સરકાર દ્વારા નવી જીઆઇડીસી બનાવવાની જાહેરત કરવામાં આવી છે જો કે, પાનેલી અને જાબુડિયા ગામે નવી જીઆઇડીસી સામે વિરોધ નોંધાવ્યો છે. અને તેના માટે બંને ગ્રામ પંચાયતે રાજ્યના મહેસુલ મંત્રીને રજુઆત કરી પણ કરી છે અને હાલમાં ઘણા કારખાનાઓનું પ્રદુષણ છે તેવામાં નવી જીઆઇડીસી બનશે તો પ્રદુષણ વધશે તેવી દહેશત વ્યક્ત કરી છે.

મોરબીના પાનેલી ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલે રાજ્યના મહેસુલ મંત્રીને લેખિત રજુઆત કરી છે કે, મોરબી જિલ્લા વહીવટી તંત્રએ પાનેલી-જાંબુડિયા ગામને જાણ કર્યા વગર કે મંજૂરી વગર પાનેલી અને જાંબુડિયા વચ્ચે ખરાબામાં જમીન ફાળવી તે જમીનમાં હાલ નવી જીઆઇડીસી બનાવવામાં આવી રહી છે. અને જીઆઇડીસીના પ્રાદેશિક મેનેજરે આ બન્ને ગ્રામ પંચાયતની ઉપરવટ જઈને આગોતરો હુકમ કરી તમામ શરતોનું પાલન કર્યું નથી. જેમાં વોટર બોડીના નીતિ નિયમોનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવેલ છે આટલું જ નહીં તળાવમાં આવતા વરસાદી પાણીના વોકળા અને વહેણ બંધ કરી દેવામાં આવેલ છે તેમજ ગુગળ, બાવળ, ગોરળને કાપી નાખીને પર્યાવરણને નુકશાન કરાયું છે

વધુમાં સરપંચે જણાવ્યુ છે કે, પાનેલી અને જાંબુડિયા વચ્ચે સર્વે નંબર ૧૪૦ અને ૧૪૬ ની જમીનમાં નવી જીઆઇડીસી બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી જો કે, હજુ બાંધકામ થયું નથી. અહિયાં જીઆઇડીસી માટે એક વર્ષ પહેલા સર્વે કરાયો હતો અને હાલમાં તંત્રએ આખે આખી જગ્યા લઈ લીધી છે અને જૂના નકશામાં રહેલા સિમ માર્ગ, મોરબીનો રોડ વાયા જાંબુડિયા રોડ અને ત્રણ ખાનગી સર્વે નંબર નવી માપણી સીટમાં દર્શાવ્યા જ નહીં ! અને ૧૯૯૩ નું જૂનું ગામ તળ જીઆઇડીસીમાં લઇ લીધું છે ?હાલમાં કારખાનાનું પ્રદૂષણ છે તેવામાં જો જીઆઇડીસી કાર્યરત કરવામાં આવશે તો આગામી દિવસોમાં પ્રદૂષણ હજુ વધશે તેવી દહેશત વ્યક્ત કરી છે જેથી બન્ને ગામના ૨૦૦૦૦ જેટલા લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેમ છે જેથી હાલમાં મહેસુલ મંત્રી સુધી આ મુદે રજૂઆત કરવામાં આવી છે






Latest News