ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નંબર ૧૩ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ


SHARE











મોરબીના વોર્ડ નંબર ૧૩ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ

મોરબી પાલીકાના પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ નંબર ૧૩ ના રહેવાસી જશવંતીબેન પી.સોનગ્રા દ્વારા કલેકટરને પત્ર લખીને તેઓના વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વધુમાં તેઓએ જણાવેલ કે ધણા સમય પહેલા અહીંયા કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપેલ ત્યારબાદ અહીંયા આજદીન સુધી નવી દુકાન ખોલવામાં આવેલ નથી જેથી રાશનકાર્ડ ધારકાને વજેપર તથા કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને લેવા જવુ પડે છે.જેથી મોંઘાદાટ રીક્ષા ભાડા ખર્ચવા પડે છે.આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પ્રજા રહે છે.જેને આવા રીક્ષા ભાડા પોસાય નહીં છતા ખર્ચ કરીને લેવા જવુ પડે છે.આ વિસ્તારમાં આશરે છ હજાર જેટલી વસ્તી છે. અગાઉ જે દુકાનદાર પાસે આશરે સાતસો જેટલા કાર્ડ હતા તે અન્ય દુકાનદારને તબદીલ કરી નાંખેલ છે.જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ગરીબ માણસો સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીંયા નિયમોનુસાર જાહેરનામુ બહારપાડી નવી દુકાન ચાલુ કરવામાં આવે તેવી લોકો વતી માંગ છે.વધુમાં કબીર ટેકરી તથા વાઘપરાના વિસ્તારની આશરે નવ હજાર જેટલી વસ્તી થાય છે.આ બાબતે અગાઉ તા.૨૧-૭-૨૨ ના રોજ રજુઆત કરેલ તેનો અમલ પણ આજદિન સુધી થયેલ નથી.તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News