મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નંબર ૧૩ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ


SHARE











મોરબીના વોર્ડ નંબર ૧૩ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ

મોરબી પાલીકાના પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ નંબર ૧૩ ના રહેવાસી જશવંતીબેન પી.સોનગ્રા દ્વારા કલેકટરને પત્ર લખીને તેઓના વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વધુમાં તેઓએ જણાવેલ કે ધણા સમય પહેલા અહીંયા કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપેલ ત્યારબાદ અહીંયા આજદીન સુધી નવી દુકાન ખોલવામાં આવેલ નથી જેથી રાશનકાર્ડ ધારકાને વજેપર તથા કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને લેવા જવુ પડે છે.જેથી મોંઘાદાટ રીક્ષા ભાડા ખર્ચવા પડે છે.આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પ્રજા રહે છે.જેને આવા રીક્ષા ભાડા પોસાય નહીં છતા ખર્ચ કરીને લેવા જવુ પડે છે.આ વિસ્તારમાં આશરે છ હજાર જેટલી વસ્તી છે. અગાઉ જે દુકાનદાર પાસે આશરે સાતસો જેટલા કાર્ડ હતા તે અન્ય દુકાનદારને તબદીલ કરી નાંખેલ છે.જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ગરીબ માણસો સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીંયા નિયમોનુસાર જાહેરનામુ બહારપાડી નવી દુકાન ચાલુ કરવામાં આવે તેવી લોકો વતી માંગ છે.વધુમાં કબીર ટેકરી તથા વાઘપરાના વિસ્તારની આશરે નવ હજાર જેટલી વસ્તી થાય છે.આ બાબતે અગાઉ તા.૨૧-૭-૨૨ ના રોજ રજુઆત કરેલ તેનો અમલ પણ આજદિન સુધી થયેલ નથી.તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News