મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

ચડ્ડીબનિયા ગેંગે આપ્યો ઘટનાને અંજામ: મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળમાં કરી ૮૫,૦૦૦ ની ચોરી


SHARE











ચડ્ડીબનિયા ગેંગે આપ્યો ઘટનાને અંજામ: મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળમાં કરી ૮૫,૦૦૦ ની ચોરી

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી પોલીસે ગઇકાલે ટવેરા ગાડી સાથે એમપીની ચડ્ડીબનિયા ધારી ગેંગના ત્રણ સાગરીતોને દબોચી લીધા હતા અને તેની પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે તેવામાં આ ગેંગ દ્વારા મોરબી તાલુકાનાં ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુળને નિશાન બનાવવામાં આવ્યું હોવાની કબૂલાત પકડાયેલા ત્રણ શખ્સોએ આપેલ છે જેથી કરીને આઠ દિવસ પહેલા સ્વામી નારાયણ ગુરુકુળમાંથી રોકડા રૂપિયા ૮૫ હજારની ચોરી કરવામાં આવી હતી જેની હાલમાં ફરિયાદ લેવામાં આવેલ છે અને આ ગુનામાં આરોપીની ધરપકડ કરવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે અને આ ગેંગના ચાર શખ્સો અગાઉ નાશી ગયેલ છે તેને પકડવા માટે પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટેલ નજીક સાઈ કાંટા પાસે ઉભેલ સેવરોલેટ કંપનીની ટવેરા કાર નંબર જીજે ૧૮ બીએચ ૪૪૭૪ ને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી બે નાના મોટા ડિસમિસલોખંડનો ગણેશિયોમાથા ઉપર પહેરવાની ટોર્ચ બત્તી વગેરે જેવા સાધનો અને હથિયાર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૧.૧૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને બેઠેલા શખ્સોમાંથી કૈલાશભાઈ પારસિંગ ભુરીયા જાતે આદિવાસી (૩૧)પિયારસિંગ ઉર્ફે ભગત રણજિત વસુનીયા જાતે આદિવાસી (૪૫) અને જયદીપ રણુભાઈ બામણીયા જાતે આદિવાસી (૨૪) રહે. ત્રણેય મધ્ય પ્રદેશ વાળાની ધરપકડ કરેલ હતી અને જો કે, પોલીસને ચકમો આપીને વિજય રૂપસિંગ ભુરીયા, મુકેશ દલસિંગ અમલીયાર, પપ્પુ બુલુર આદિવાસી અને ભાયા નકતા આદિવાસી નાશી ગયેલ છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

દરમ્યાન હાલમાં એમપીની ચડ્ડીબનિયા ધારી ગેંગના જે ત્રણ સાગરીતોને પકડવામાં આવેલ છે તેની પ્રાથમિક પૂછપરછમાં તેને મોરબી નજીકના ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુળને નિશાન બનાવીને ત્યાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી હાલમાં મુળ વેજલપરના રહેવાસી અને હાલમાં મોરબીના અક્ષરધામપાર્કમાં રહેતા અને સેવાપૂજા કરતાં ઇશ્વરભાઇ કરશનભાઇ કૈલા જાતે પટેલ (૬૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નજીક આવેલ સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ ગુરૂકુળમાં અજાણ્યા છ ચોર ઇસમો ગત તા ૨૫/૧૨ ના રોજ સ્કુલ બિલ્ડીમાં રાત્રીના સમયે આવ્યા હતા જે સી.સી.ટી.વી. માં પણ દેખાઈ છે અને સ્કુલ બિલ્ડીંગની મેનેજમેન્ટની ઓફીસની બારી તોડી ત્યાં ગુરૂકુળના વિદ્યાર્થીઓની સ્કુલ ફી પેટેના રોકડ ૮૫,૦૦૦ રાખેલ હતા જે રકમની ચોરી કરેલ છે જેથી કરીને હાલમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતા અજાણ્યા શખ્સોની સામે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને હવે આ ગુનામાં એમપીની ચડ્ડીબનિયા ધારી ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરવામાં આવશે અને તેના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News