તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં બે જુદાજુદા સ્થળોએ ફીનાઇલ અને ઝેરી દવા પી ગયેલા બે યુવાનોને સારવારમાં ખસેડાયા


SHARE











મોરબીમાં બે જુદાજુદા સ્થળોએ ફીનાઇલ અને ઝેરી દવા પી ગયેલા બે યુવાનોને સારવારમાં ખસેડાયા

મોરબીના બે જુદાજુદા વિસ્તારોમાં રહેતા યુવાનો ફિનાઈલ તેમજ ઝેરી દવા પી ગયા હોય હાલ બંનેને સારવારમાં ખસેડાયા છે અને બનાવના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે વૃદ્ધાશ્રમની નજીક જુની કુબેર ટોકીઝની પાછળના વિસ્તારમાં રહેતા રાજેશભાઈ નાનજીભાઈ સોલંકી (ઉમર ૩૧) નામના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝનમાં જાણ કરાયેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા બનાવના કારણ અંગે તપાસ ચલાવી રહ્યા છે. તે રીતે જ મોરબી તાલિકાના નવા સાદુળકા ગામે રહેતો અમિત કૈલાશભાઈ ઝિંઝુવાડીયા નામનો ૧૮ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા પી ગયો હતો જેથી હાલ તેને અત્રની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે અને કયા કારણોસર અમિત ઝીંઝુવાડીયાએ ઉપરોક્ત પગલું ભર્યું..? તે દિશામાં હવે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

માતા-પુત્ર સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બાગબાન ફાર્મ નજીકથી એકટીવામાં જઈ રહેલ માતા-પુત્રને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા બંનેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે રહેતા અન્નપૂર્ણાબેન પારસભાઈ ઓખરીયા (ઉંમર 31) અને સમર્થ પારસભાઈ ઓખરીયા (ઉંમર 4) એકટીવામાં જતા હતા તે સમયે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા બાગબાન ફાર્મ પાસે વાહન અકસ્માતનો બનાવો બન્યો હતો જેમાં એકટીવા સ્લીપ થઈ જતા ઈજા થઈ હતી જેથી બંનેને સારવારમાં ખસેડાયા હતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ. બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

બીમારી સબબ મોત

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ નીલકંઠ પોલી સીરામીક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતા શંકરલાલ સેતાલાલ લુહાર (ઉમર ૩૨) નામના યુવાનને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા અને પોલીસના જણાવ્યા પ્રમાણે બીમારી સબબ તેઓનું મોત નીપજેલ છે.તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News