મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવાયો


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ૨૫ મી ડિસેમ્બરે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૭ વર્ષથી નાતાલના દિવસે આ શાળામાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ આઠમા વર્ષે પણ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તુલસી રોપા વિતરણતુલસી સન્માન અર્પણ, Instaagraam Awarenees, વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદ્ઘાટન વિગેરે કાર્યક્રમ યોજાયા હતા આ વર્ષે પણ સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ અને પ્રદર્શની રાખવામા આવી હતી અને સાર્થક વિદ્યામંદિરમાં તુલસી દિવસ નિમિત્તે આજે વૈદિક પેરેન્ટિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે રાજકોટ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સહયોગથી સાર્થક વિદ્યામંદિરમાં વૈદિક પેરેન્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ અવેરનેસ માટેનું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. અને સમાજસેવામાં જે સારું કાર્ય કરી રહ્યા છે તેવા લોકોને દર વર્ષે તુલસી દિવસે સાર્થક વિદ્યામંદિર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે યાદીમાં જણાવ્યૂ છે






Latest News