મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ દ્વારા સુશાસન દિન નિમિત્તે આર્યવર્ત એકેડેમી ખાતે કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી જિલ્લા ભાજપ દ્વારા સુશાસન દિન નિમિત્તે આર્યવર્ત એકેડેમી ખાતે કાર્યક્રમ યોજાયો

૨૫ ડિસેમ્બર એટલે કે ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીજીની જન્મજ્યંતીને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી (લક્ષ્મીનગર) ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમા જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, જીલ્લા ભાજપ મંત્રી નિરજભાઈ ભટ્ટ સહિતના જિલ્લા ભાજપના તમામ હોદેદારો, જિલ્લા અને તાલુકાના, મોરચાના તમામ હોદેદારો અને ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા દ્વારા અટલજીના જીવન વિશે ખૂબ સરસ રીતે ઝીણવટપૂર્વક વાત કરવામાં આવી હતી. આર્યાવર્ત સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રશાંતભાઈ ગોરીયા અને રમેશભાઇ કૈલા દ્વારા સંચાલન કરી અટલજીના જીવન વિશેની એક ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી






Latest News