મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન, ચંદ્રયાન આકર્ષનું કેન્દ્ર


SHARE











મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન, ચંદ્રયાન આકર્ષનું કેન્દ્ર

મોરબી શહેરના રવાપર રોડ ખાતે આવેલી નવજીવન વિદ્યાલયમાં તા.૨૪ અને ૨૫ ના રોજ “સાયન્સ ટેક એકસ્પો-૨૦૨૩” નામક બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડી.બી. પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં રોબોટિક, ગાણિતિક, ટેકનિકલ, સાંસ્કૃતિક તથા વિજ્ઞાનને લગતા ૬૦ જેટલા પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા છે. જેમાં રર ફૂટ ઊંચા ચંદ્રયાન-૩ની કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. બાળકોએ તેમની સૂજબૂજ તથા શાળાના સ્ટાફની મદદથી ચંદ્રયાન-૩નો બેનમૂન પ્રોજેકટ બનાવ્યો છે. આ વિજ્ઞાનમેળામાં તા.૨૪ના રોજ મોટી સંખ્યામાં મોરબી વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફની મહેનતને બિરદાવી હતી. અને આજે પણ પ્રદર્શનને નિહાળવા મોરબીવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.






Latest News