મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન, ચંદ્રયાન આકર્ષનું કેન્દ્ર


SHARE







મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન, ચંદ્રયાન આકર્ષનું કેન્દ્ર

મોરબી શહેરના રવાપર રોડ ખાતે આવેલી નવજીવન વિદ્યાલયમાં તા.૨૪ અને ૨૫ ના રોજ “સાયન્સ ટેક એકસ્પો-૨૦૨૩” નામક બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડી.બી. પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં રોબોટિક, ગાણિતિક, ટેકનિકલ, સાંસ્કૃતિક તથા વિજ્ઞાનને લગતા ૬૦ જેટલા પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા છે. જેમાં રર ફૂટ ઊંચા ચંદ્રયાન-૩ની કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. બાળકોએ તેમની સૂજબૂજ તથા શાળાના સ્ટાફની મદદથી ચંદ્રયાન-૩નો બેનમૂન પ્રોજેકટ બનાવ્યો છે. આ વિજ્ઞાનમેળામાં તા.૨૪ના રોજ મોટી સંખ્યામાં મોરબી વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફની મહેનતને બિરદાવી હતી. અને આજે પણ પ્રદર્શનને નિહાળવા મોરબીવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.






Latest News