મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પંચાસર રોડે બિલ્ડિંગમાં સેંટિંગના કામ દરમ્યાન પડેલ લોખંડનો સળીયો માથામાં લગતા તરૂણનું મોત


SHARE







મોરબીમાં પંચાસર રોડે બિલ્ડિંગમાં સેંટિંગના કામ દરમ્યાન પડેલ લોખંડનો સળીયો માથામાં લગતા તરૂણનું મોત

મોરબીમાં પંચાસર રોડ નાની કેનાલ પાસે સનરાઈઝ પાર્કમાં પવનસુખ પેલેસ ખાતે ત્રીજા માળે બિલ્ડિંગમાં સેંટિંગનું કામકાજ ચાલુ હતું ત્યારે ઉપરથી લોખંડનો સળીયો નીચે પડતા તરુણના માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ સનરાઈઝ પાર્ક પવન સુખ પેલેસ ખાતે ત્રણ માળના બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે દરમિયાન ઉપરથી લોખંડનો સળીયો અકસ્માતે નીચે પડ્યો હતો ત્યારે આરીફભાઈ શકુરભાઈ સંઘવાણી જાતે મિયાણા (૧૫) રહે. માળિયા મીયાણા વાળાના માથાના ભાગે તે સળિયો વાગી ગયો હતો જેથી કરીને તરુણને ઇજા થઈ હતી અને તેને સારવારના ખસેડાયો હતો જો કે સારવાર દરમિયાન તરુણનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના પિતા શકુરભાઈ જશાભાઇ સંઘવાણી જાતે મિયાણા (૪૦) રહે. માળીયા મીયાણા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે જેથી તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક બાળકના મોટાબાપુ બનાવ સ્થળે સેંટિંગનું કામ કરતાં હતા જેથી બાળક તેની સાથે આવ્યો હતો અને ત્યારે તેના માથા ઉપર સળિયો પડતાં આ અકસ્માત મૃત્યુની ઘટના બનેલ છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે વાડી વિસ્તારમાં રહેતા રવિશંકર રાઠવા (૨૦) નામના યુવાનને રાત્રિના સમયે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News