મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક-ગાત્રાળ સ્કૂલ અને સજનપરની સરકારી શાળામાં ગીતા જ્યંતિ ઉજવાઇ


SHARE











મોરબીમાં સાર્થક-ગાત્રાળ સ્કૂલ અને સજનપરની સરકારી શાળામાં ગીતા જ્યંતિ ઉજવાઇ

મોરબીના આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સવારે અને બપોરે ગીતાના અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ ગીતા આરતી, પૂજન, ગીતા ધ્યાન, ગીતા પઠન અને મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું આ તકે શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતિભાઈ ભાડેશિયા તેમજ શાળા પ્રિન્સિપાલ સહિતના જોડાયા હતા આ તકે ઓછામાં ઓછા ત્રણ અધ્યાય બોલનારને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આવી જ રીતે ઇન્ડીયન લાયોનેસ કલબ મોરબી દ્વારા ગીતાજયંતી નિમિત્તે ગાત્રાળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ભારતીબેન વારોતરીયા દ્વારા ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું અને બધા વિદ્યાર્થીઓને ભગવત ગીતાની પોકેટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રોજેક્ટમાં સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા મેમ્બર દયાબેન અઘારા અને કવિતાબેન ભાલારાએ હાજરી આપી હતી આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ગાત્રાળ વિદ્યાલયના આચાર્ય ભારતીબેન વારોતરીયા અને તેમના સ્ટાફનો આભાર માન્યો હતો. તો ટંકારાના સજનપર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં "ગીતા જ્યંતિ" ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી આ તકે ડી.એમ. મસોત દ્વારા પોતાની આગવી શૈલીમાં ગીતાનું મહત્વ બાળકોને સમજાવ્યું હતું તેમજ બાળકોને પોતાના જીવન ઘડતરમા ઉપયોગી થાય એવી પણ ખૂબ  જ સચોટ માહિતી આપી હતી તેમજ લજાઈ ગામના શ્રી ગૌ સેવક પરિવાર ત્થા સંજયભાઈ જે. મસોત દ્વારા ધો. ૭ અને ૮ ના બાળકોને ગીતાજી ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર સ્ટાફને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ હતા.






Latest News