મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બે ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું


SHARE







મોરબી જિલ્લાના બે ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સ્થાનિક ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ટંકારાના ડેમી-૨ ડેમ અને મોરબીના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાંથી ચેકડેમોમાં પાણી ભરવા માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે

મોરબી જિલ્લાના ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ ડેમમાં સૌની યોજનાનું પાણી આવતા ડેમની સપાટી ભરેલી છે ત્યારે આ ડેમમાંથી ડેમી-૩ ડેમ અને વચ્ચે આવતા ચેકડેમોમાં પાણી ભરવા માટે આજે તા. ૨૨ ના રોજ બપોરે ૧૨:૪૫  કલાકથી ડેમના બે દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવેલ છે અને પાણી છોડતા પહેલા નસીતપર, નાના રામપર, મોટા રામપર મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જોડિયાના માવનુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે

આવી જ રીતે મોરબીના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમની હેઠળ આવેલ વિસ્તારમાં ચેકડેમમાં પાણી ભરવા માટે થઈને હાલમાં આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી તેમજ માળીયા તાલુકાનાં ખેડુતોને સિંચાઈ માટેનું પાણી મળે તે માટે ડેમમાંથી પાણી છોડવામાં આવશે આ ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તે પહેલા મોરબી અને માળીયાના ૯ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે અને શુક્રવારે રાતે ૧૦ વાગ્યાથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવું અધિકારીએ જણાવ્યુ છે






Latest News