મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બે ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું


SHARE











મોરબી જિલ્લાના બે ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સ્થાનિક ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ટંકારાના ડેમી-૨ ડેમ અને મોરબીના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાંથી ચેકડેમોમાં પાણી ભરવા માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે

મોરબી જિલ્લાના ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ ડેમમાં સૌની યોજનાનું પાણી આવતા ડેમની સપાટી ભરેલી છે ત્યારે આ ડેમમાંથી ડેમી-૩ ડેમ અને વચ્ચે આવતા ચેકડેમોમાં પાણી ભરવા માટે આજે તા. ૨૨ ના રોજ બપોરે ૧૨:૪૫  કલાકથી ડેમના બે દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવેલ છે અને પાણી છોડતા પહેલા નસીતપર, નાના રામપર, મોટા રામપર મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જોડિયાના માવનુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે

આવી જ રીતે મોરબીના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમની હેઠળ આવેલ વિસ્તારમાં ચેકડેમમાં પાણી ભરવા માટે થઈને હાલમાં આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી તેમજ માળીયા તાલુકાનાં ખેડુતોને સિંચાઈ માટેનું પાણી મળે તે માટે ડેમમાંથી પાણી છોડવામાં આવશે આ ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તે પહેલા મોરબી અને માળીયાના ૯ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે અને શુક્રવારે રાતે ૧૦ વાગ્યાથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવું અધિકારીએ જણાવ્યુ છે






Latest News