મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બે ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું


SHARE











મોરબી જિલ્લાના બે ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સ્થાનિક ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ટંકારાના ડેમી-૨ ડેમ અને મોરબીના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાંથી ચેકડેમોમાં પાણી ભરવા માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે

મોરબી જિલ્લાના ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ ડેમમાં સૌની યોજનાનું પાણી આવતા ડેમની સપાટી ભરેલી છે ત્યારે આ ડેમમાંથી ડેમી-૩ ડેમ અને વચ્ચે આવતા ચેકડેમોમાં પાણી ભરવા માટે આજે તા. ૨૨ ના રોજ બપોરે ૧૨:૪૫  કલાકથી ડેમના બે દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવેલ છે અને પાણી છોડતા પહેલા નસીતપર, નાના રામપર, મોટા રામપર મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જોડિયાના માવનુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે

આવી જ રીતે મોરબીના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમની હેઠળ આવેલ વિસ્તારમાં ચેકડેમમાં પાણી ભરવા માટે થઈને હાલમાં આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી તેમજ માળીયા તાલુકાનાં ખેડુતોને સિંચાઈ માટેનું પાણી મળે તે માટે ડેમમાંથી પાણી છોડવામાં આવશે આ ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તે પહેલા મોરબી અને માળીયાના ૯ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે અને શુક્રવારે રાતે ૧૦ વાગ્યાથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવું અધિકારીએ જણાવ્યુ છે






Latest News