મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત


SHARE











મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના બગથળા- કાંતિપૂર ફીડરમાં વારંવાર વીજ કાપ આવે છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ મુદે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં ઊર્જા મંત્રી કનુંભાઈ દેસાઈને રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં ઊર્જા મંત્રી કનુંભાઈ દેસાઈને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે મોરબી જિલ્લામાં ટંકારા ડિવિઝન હેઠળ બગથળા-કાંતિપૂર ફીડર આવેલ છે. આ ફીડર માં ઘણી નાની નાની ફેક્ટરીઓ આવેલ છે હાલમાં આ ફીડરમાં વારંવાર પાવર કાપ આવે છે અને અવારનવાર લાઈટ જતી રહે છે. જેના કારણે નાની નાની ફેક્ટરી માલિકોને પોતાનું ઉત્પાદન લેવામાં ખુબજ તકલિફ પડે છે. અને તેઓને પાવર કાપના કારણે મોટું નુકસાન જાય છે. જેથી આ ફીડરમાં નિયમિત પાવર આવતો રહે તેવું કરવા માંગ કરેલ છે 






Latest News