ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાની અપીલ


SHARE











મોરબી જીલ્લામાં વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાની અપીલ

વિશ્વકર્મા યોજના થકી કારીગરોને સરકાર તરફથી ઘણો ફાયદો થવાનો છે અને ભવિષ્યમાં તેઓને તાલીમ અને લોન સહિતની સુવિધા સરકારે કરી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો વધુમાં વધુ મોરબી જિલ્લાના લોકોને લાભ લેવા માટે અપીલ કરી છે.

મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના થકી દરજી, વાળંદ(નાઇ), કુંભાર, કડિયા, લુહાર, સુથાર, મોચી વગેરે સમાજના કારીગરોના સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. તેમના વેપારમાં વૃદ્ધિની શૃંખલાને આગળ વધારવા અને સક્ષમ બનાવવા માટે શરૂઆતથી માંડી અંત સુધી સર્વગ્રાહી સહાય પ્રધાન થશે. જેથી તેમની સામાજિક, આર્થિક સ્થિત તેમજ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. આ યોજનમાં પાત્રતા ચકાસ્યા બાદ તબક્કાવાર આ યોજના અંતર્ગત લાભાર્થીઓને લોન મળે માટે તેવું આયોજન કરવામાં આવ્યું છે જેથી હાલમાં મોરબી જિલ્લામાં રજિસ્ટ્રેશનનું કામ ચાલુ છે તેમજ કોમન સર્વિસ સેન્ટર (CSC ) માંથી કારીગરો રજિસ્ટ્રેશન કરાવી સરકારની યોજનાનો લાભ મેળવે તેવી અપીલ કરી છે.






Latest News