મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાની અપીલ


SHARE











મોરબી જીલ્લામાં વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાની અપીલ

વિશ્વકર્મા યોજના થકી કારીગરોને સરકાર તરફથી ઘણો ફાયદો થવાનો છે અને ભવિષ્યમાં તેઓને તાલીમ અને લોન સહિતની સુવિધા સરકારે કરી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો વધુમાં વધુ મોરબી જિલ્લાના લોકોને લાભ લેવા માટે અપીલ કરી છે.

મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના થકી દરજી, વાળંદ(નાઇ), કુંભાર, કડિયા, લુહાર, સુથાર, મોચી વગેરે સમાજના કારીગરોના સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. તેમના વેપારમાં વૃદ્ધિની શૃંખલાને આગળ વધારવા અને સક્ષમ બનાવવા માટે શરૂઆતથી માંડી અંત સુધી સર્વગ્રાહી સહાય પ્રધાન થશે. જેથી તેમની સામાજિક, આર્થિક સ્થિત તેમજ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. આ યોજનમાં પાત્રતા ચકાસ્યા બાદ તબક્કાવાર આ યોજના અંતર્ગત લાભાર્થીઓને લોન મળે માટે તેવું આયોજન કરવામાં આવ્યું છે જેથી હાલમાં મોરબી જિલ્લામાં રજિસ્ટ્રેશનનું કામ ચાલુ છે તેમજ કોમન સર્વિસ સેન્ટર (CSC ) માંથી કારીગરો રજિસ્ટ્રેશન કરાવી સરકારની યોજનાનો લાભ મેળવે તેવી અપીલ કરી છે.






Latest News