મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

બોગસ ટોલનાકાની અસર !: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ત્રણ સહિત જીલ્લામાં ચાર પોલીસ કર્મચારીઓની બદલી


SHARE







બોગસ ટોલનાકાની અસર !: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ત્રણ સહિત જીલ્લામાં ચાર પોલીસ કર્મચારીઓની બદલી

થોડા સમય પહેલા વાંકાનેરના વઘાસીયા પાસે બોગસ ટોલનાકુ ઝડપાયું હતું જે બાબતે પોલીસ ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાય છે જોકે હજુ આ ગુનામાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી તેવામાં મોરબીના એસપી દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ડિસ્ટાફમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારી સહિત જિલ્લામાં કુલ મળીને ચાર પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં પોલીસ બેડામાં ચકચાર મચી ગયેલ છે

ન માત્ર મોરબી પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોરબીનું નામ થોડા દિવસો પહેલા ગુંજતું થઈ ગયું હતું કારણ કે મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે જુદા જુદા ત્રણ સ્થળ ઉપર બોગસ ટોલનાકા ઉભા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી નેશનલ હાઇવે રોડ ઉપરના ટોલનાકાને બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવતા હતા અને તે વાહન ચાલકો પાસેથી ટોલનાકા ઉપર લેવામાં આવતી હોય તેના કરતાં અડધી રકમ અથવા તો તેનાથી પણ ઓછી રકમ લઈને ત્યાંથી વાહનોને પસાર થવા દેવામાં આવતા હતા જે સમગ્ર મામલો સમાચાર માધ્યમોમાં આવ્યા બાદ તાત્કાલિક પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થયું હતું અને તપાસના આદેશ દેવામાં આવ્યા છે અને હાલમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ અંગેની તપાસ ચાલી રહી છે બીજી બાજુ જે સમયે ઘટના ઉજાગર થઈ હતી ત્યારે તાત્કાલિક જ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ વ્યક્તિઓની સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી અને તે આરોપીઓ અને તેના મળતીયાઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી જોકે અફસોસની વાત એ છે કે આજ દિવસ સુધી આ બોગસ ટોલનાકાના ગુનામાં એક પણ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ નથી. તેવામાં આજે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડિસ્ટાફમાં ફરજ બજાવતા ત્રણ સહિત કુલ મળીને ચાર પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે અને હાલમાં જે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેમાં વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા દિવ્યરાજસિહ દેવેન્દ્રસિંહ ઝાલાની  માળીયા (મી), ક્રુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિહ ઝાલાની  ટંકારા અને પ્રતિપાલ સિંહઅનિરુદ્ધસિંહ વાળાની ટ્રાફિક બ્રાન્ચમાં બદલી કરાયેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જયદેવસિંહ ખોડુભા ઝાલા ની ક્યુઆરટી ખાતે બદલી કરવામાં આવી છે






Latest News