ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બે શખ્સોએ પત્થર વડે માર માર્યો


SHARE











ટંકારાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બે શખ્સોએ પત્થર વડે માર માર્યો

ટંકારા તાલુકાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બાબતે બોલાચાલી કરીને બાજુમાં ખેતર ધરાવતા બે શખ્સો દ્વારા પથ્થરો મારીને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઉકેડા ગામે રહેતા પરેશભાઈ રણછોડભાઈ છીપરીયા જાતે કોળી (૩૮) ને મનસુખભાઈ અને હીરાભાઈ નામના બે વ્યક્તિઓ દ્વારા પથ્થરથી મારીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા પરેશભાઈ છીપરીયાને સારવાર માટે પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ઝાલાના મેઘપર ગામે પરેશભાઈ પોતાની વાડીએ હતા ત્યારે તેઓની બાજુમાં વાડી ધરાવતા મનસુખભાઈ અને હીરાભાઈએ સેઢાની યકરાર બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પથ્થર વડે તેને માર માર્યો હતો જેથી ઈજા પામેલા પરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો આદિલ ફારુકભાઈ માલકીયા (૨૨) નામનો યુવાન મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ પાસે હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળ વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા રવિ મગનભાઈ રાઠોડ (૨૮) નામના યુવાનને અજય, મિલન અને અક્ષય નામના ત્રણ વ્યક્તિઓ દ્વારા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે. બનાવ મોરબી તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News