મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકા કાંડમાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીનની અરજી નામંજૂર


SHARE







મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકા કાંડમાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીનની અરજી નામંજૂર

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ વાંકાનેરના વઘાસીયા ગામ નજીકના નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધયેલ છે જો કે, આરોપી હજુ સુધી પકડાયેલ નથી ત્યાં પાંચ પૈકીનાં બે આરોપીએ તેના વકીલ મારફતે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં આગોતર જામીન માટે અરજી કરી હતી જે બંને આરોપીઓની આગોતરા જામીન અરજીને નામંજૂર કરવામાં આવેલ છે

વાંકાનેરના વઘાસિયા પાસે નકલી ટોલનાકા સામે આવ્યા હતા જેથી કરીને તેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેની સાથે સંડોવાયેલા માણસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી તેવામાં પાંચ પૈકીનાં બે આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાના વકીલ મારફતે આગોતરા જામીન મેળવવા માટે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા ભાજપના આગેવાન છે અને આ ચકચારી કેસમાં ભાજપના આગેવાન તેમજ પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો સમાવેશ થાય છે જેથી પોલીસે હજુ સુધી કોઈ આરોપીને પકડી શકી નથી તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છે






Latest News