ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયેલ મહિલા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ


SHARE











મોરબીમાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયેલ મહિલા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપના સામેના ભાગે આવેલા અરૂણોદયનગર વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા તેઓના ઘરે વહેલી સવારે રસોઇ બનાવતા સમયે દાઝી ગયા હતા અને તેમને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે અરૂણોદયનગર વિસ્તારમાં ઉમા ટાઉનશીપના સામેના ભાગે રહેતા કારમલબેન એડમીનભાઈ નામની ૩૫ વર્ષીય ખ્રીસ્ચન મહિલા વહેલી સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં તેઓને ઢોસાનો ધંધો હોય રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે નવા લીધેલા મશીનમાં દાઝી ગયા હતા.જેથી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.આ બાબતે હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે રેલ્વે ફાટકે આવેલ જગ્યાએ અગાઉ કુટ્ટીભાઈ ઢોસાવાળા જાણીતા હતા અને તેઓની દીકરી કારમલબેન એડમીનભાઈ હાલ ઢોસાનો ધંધો કરતા હોવાથી વહેલી સવારે ઢોસા બનાવવા માટેની રસોઈ કરી રહ્યા હતા ત્યારે દાજી જવાથી હાલ રાજકોટ ખસેડાયા છે.

યુવતી સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા ચાંચાવદરડા ગામે રહેતી રામેશ્વરીબેન દિનેશભાઈ રાઠવા નામની ૧૭ વર્ષીય યુવતીને ચાંચાવદરડા ગામે કોઈ બાબતે થયેલા ઝઘડા બાદની મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ માળીયા પોલીસ મથકની હદનો હોય આ અંગેની આગળની તપાસ માટે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.






Latest News