મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા ગામે માલઢોર ચરાવવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને પાંચ શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના ગુંદાખડા ગામે માલઢોર ચરાવવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને પાંચ શખ્સોએ માર માર્યો

વાંકાનેરના ગુંદાખડા ગામે રહેતો યુવાન માલ ઢોર ચડાવવા માટે થઈને તળાવ પાસે ગયો હતો જે તે જ ગામમાં રહેતા શખ્સોને સારું નહીં લાગતા તેઓએ તે યુવાનને ગાળો આપી હતી અને લાકડી વડે ડાબા હાથના કાંડા અને ગળાના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ તે યુવાનની સાથે રહેલા વ્યક્તિને પણ ગાળો આપીને લાકડી અને પાઇપ વડે જમણા પગે તથા ડોકના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને પાંચ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ભરવાડ વાસમાં રહેતા કરમણભાઇ ખીમાભાઈ બાંભવા જાતે ભરવાડ (૪૫) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોપટભાઈ કરમશીભાઈ સાપરા, ભકાભાઇ પોપટભાઈ, વિહાભાઇ માધાભાઈ સાપરા, રવજીભાઈ પોપટભાઈ સાપરા અને દર્શનભાઈ ચોથાભાઈ સાપરા રહે. બધા ગુંદાખડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગુંદાખડા ગામે તેઓ પોતાના માલ ઢોર ચડાવવા માટે તળાવ પાસે ગયા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા તેઓએ ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડી વડે તેને ડાબા હાથમાં તથા ગળાના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ તેની સાથે રહેલા રણછોડભાઈને ગાળો આપીને લોખંડના પાઇપ અને લાકડી વડે જમણા પગે માર માર્યો હતો તથા ડોકના ભાગે ઇજા કરી હતી જેથી બંને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ કરમણભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News