મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવા સીએમને રજૂઆત


SHARE











વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવા સીએમને રજૂઆત

ચાલુ વર્ષ વાંકાનેર તાલુકામાં પડેલા વરસાદના લીધે અતિવૃષ્ટિ જેવો ઘાટ સર્જાયો છે અને તેના લીધે વાંકાનેરના ખેડૂતોના પાકને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને નુકશાનનું વળતર આપવામાં આવે તેવી વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય જિજ્ઞાસાબેન મેર દ્વારા ગુજરાતનાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુલાબ વાવાઝોડાંના કારણે ગુજરાતભરમાં વરસાદ થયેલ છે ત્યારે વાંકાનેર તાલુકાના અનેક ગામમાં ખેડૂતોની ખેતપેદાશોને ખૂબ જ નુકશાન થયુ છે. અને ખાસ કરીને ચોમાસું પાક કપાસ, બાજરી, મગફળી, કઠોળ, તલ વગેરેને નુકશાન થયેલું છે. જેથી ખેડૂતોને વળતર આપવામાં આવે તે જરૂરી છે ત્યારે સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારીને યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે અને વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયલો તાલુકો જાહેર કરી ખેડૂતોને સર્વે કરાવીને યોગ્ય સહાય આપવાની માંગ કરી છે 




Latest News