મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રામધામ ખાતે આજે રામ મંદિરના ખાતમુહુર્ત સહિતના આયોજન માટે મહત્વની મિટિંગ


SHARE







વાંકાનેર નજીક રામધામ ખાતે આજે રામ મંદિરના ખાતમુહુર્ત સહિતના આયોજન માટે મહત્વની મિટિંગ

વાંકાનેર નજીક જાલીડા પાસે આવેલ રામધામ ખાતે આજે સાંજે પાંચ વાગ્યે જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરનુ ખાત મુહુર્ત સહીતના આયોજન માટેની મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લામાંથી સમસ્ત રઘુવંશી સમાજને ઉપસ્થિત રહેવા લોહાણા મહાજન-મોરબી સહીતની સંસ્થાઓ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે

આગામી ફેબ્રુઆરી માસમાં રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ખાતે ૧૦૮ કુંડી શ્રી રામ મહાયજ્ઞ, શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરનુ ખાત મુહુર્ત સહીતના આયોજનોના અનુસંધાને રવિવાર તા ૧૦/૧૨ ના રોજ સાંજે પાંચ વાગ્યે મીટીંગનું જાલીડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રામધામના સ્વપ્નદ્રષ્ટા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં આ મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે, આ મીટીંગમાં સમસ્ત લોહાણા સમાજ-મોરબીના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા મોરબી લોહાણા મહાજન સહીતની સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમસ્ત લોહાણા સમાજની એકતા અને અખંડીતતાનાં પ્રતિક સમા શ્રી રામધામના નિર્માણ માટે જીતુભાઈ સોમાણીએ ચંપલ ન પહેરવાની આકરી ટેક રાખવામા આવી હતી અને ત્યારબાદ શ્રી રામધામની પવિત્ર જગ્યા જાલીડા મુકામે શ્રી રામધામ કમીટી દ્વારા ખરીદવામાં આવતા જીતુભાઈની ટેક પૂર્ણ થઈ હતી. જો કે, ત્યાર પછી જ્યાં સુધી પ્રભુ શ્રી રામચંદ્રજીના મંદિરનુ ખાત મુહુર્ત ન થાય ત્યાં સુધી અન્ન તથા કઠોડનો જીતુભાઈએ ત્યાગ કર્યો છે ત્યારે આગામી ફેબ્રુઆરી માસમાં મંદિરનુ ખાત મુહુર્ત થશે ત્યારે તેમની ટેકના પારણા કરવવામાં આવશે. આ મિટિંગમાં આવવા માટે મોરબી શ્રી લોહાણા મહાજન, જલારામ પ્રાર્થના મંદિર, જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, રઘુવીર સેના સાર્વ. ટ્રસ્ટ, લોહાણા વિદ્યોતેજક ફંડ અને રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા અનુરોધ કરાયેલ છે 






Latest News