મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે વધુ એક વખત પાલિકા દ્વારા ૧૦૦ જેટલા લારી-ગલ્લા હટાવાયા: નગરદરવાજા ચોક દેખાતો જ નથી !


SHARE







મોરબીના શનાળા રોડે વધુ એક વખત પાલિકા દ્વારા ૧૦૦ જેટલા લારી-ગલ્લા હટાવાયા: નગરદરવાજા ચોક દેખાતો જ નથી !

મોરબી શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ દબાણો છે જો કે, પાલિકાને વારંવાર શનાળા રોડ ઉપર ન જ દબાણ દેખાઈ છે તે સિવાય નગરદરવાજા ચોક કે પછી અન્ય મુખ્ય માર્ગ ઉપરના દબાણો દેખાતા જ નથી તે હક્કિત છે હાલમાં પાલિકાની ટીમે દબાણ દૂર કરવાની પાસેરામાં પૂણી સમાન કામગીરી મોરબીના શનાળા રોડે કરી હતી અને ત્યારે સરદાર બાગથી છોટાલાલ પેટ્રોલપંપ સુધીના વિસ્તારમાં કુલ મળીને ૧૦૦ જેટલા લારી ગલ્લા હટાવવામાં આવેલ છે જો કે, બે મહિના પહેલા જ આ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા તો પણ પાછા ત્યાં દબાણો થઈ ગયા હતા ત્યારે તંત્રની નબળાઈના લીધે દિવસેને દિવસે મોરબીમાં લારી ગલ્લા અને પથરણાના દબાણો વધી રહ્યા છે તે હક્કિત છે

મોરબી પાલિકા દ્વારા વારંવાર દબાણ હટાવવાનું કામ કરવામાં આવે છે જો કે, તંત્રની કોઈ ધાક ન હોવાથી ફરી પાછા દબાણો ત્યાં ખડકાઈ જાય છે ગઇકાલે મોરબીના શનાળા રોડે આડેધડ ફૂટપાથ અને રોડ સાઇડમાં જે દબાણો કરવામાં આવેલ હતા તેને હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી જો કે, વાહન લઈને નીકળતા બાઈક અને કાર ચાલકોને વાહન પાર્ક કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતી હતી જેથી કરીને લોકો રોડ પર વાહન પાર્ક કરવા મજબુર બને છે. ત્યારે શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગ ઓમ શાંતિ સ્કુલ બહાર પાર્કિંગ અને તેની સામેની સાઈડ નવા બસ સ્ટેશનની બન્ને સાઈડ, સરદાર પટેલ પ્રતિમાની આસપાસ, પાણી પુરવઠા કચેરી બહાર, જીઆઇડીસી સામેના ભાગે, માર્કેટિંગ યાર્ડની સામે અને તેની આસપાસ વિસ્તાર તેમજ લઇ છોટાલાલ પેટ્રોલ પંપ સુધીના રોડની બન્ને સાઈડ કુલ મળીને ૧૦૦ જેટલા લારી ગલ્લા હટાવવામાં આવ્યા હતા અને રસ્તા તેમજ ફૂટપાથ ખુલ્લી કરવામાં આવેલ છે જો કે, આ પાલિકાના સ્ટાફને મોરબીના નગરદરવાજા ચોક, પરાબજાર, ગાંધીચોક, લોહાણાપરા, શાક માર્કેટ ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે આડેધડ કરવામાં આવેલા દબાણ કેમ દેખાતા નથી તે સૌથી મોટો સવાલ છે અને વારંવાર શનાળા રોડે જ કેમ દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવે છે તે તપાસનો વિષય છે






Latest News