મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના પાર્થ પેપર્સ એલએલપી કારખાનામાં આગ લગતા ૧૫૦૦ ટન પેપરનો જથ્થો બળીને ખાખ


SHARE







મોરબીના પાર્થ પેપર્સ એલએલપી કારખાનામાં આગ લગતા ૧૫૦૦ ટન પેપરનો જથ્થો બળીને ખાખ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર્સ એલએલપી નામના કારખાનામાં બુધવારે વહેલી સવારે ૩:૩૦ થી ૪:૦૦ વાગ્યાના અરસામાં વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આગને કંટ્રોલ કરવા માટેના કારખાનેદાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા જોકે આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આ અંગે તાત્કાલિક મોરબી નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર સાથે પાર્થ એલએલપી કારખાના ખાતે પહોંચી છે અને ૪:૩૦ વાગ્યાથી પાણીનો મારો સતત ચાલુ રાખીને આગને કંટ્રોલ કરવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી પાણીનો મારો કરવામાં આવ્યો ત્યારે આગ કંટ્રોલમાં આવી હતી જો કે, આ બનાવ અંગે હાલમાં મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ ઉમિયા એપાર્ટમેંટમાં રહેતા શૈલેષભાઈ બાબુભાઇ દેત્રોજા જાતે પટેલ (૪૪) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે અને તેને જણાવ્યુ છે કે, કારખાનામાં આગ લાગતાં હાલમાં કુલ મળીને ૧૫૦૦ ટન વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાખ થઈ ગયેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ તેમજ પેપરમીલ ઉદ્યોગ, લેમીનેટ ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગ વગેરે અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે તેમ છતાં પણ ઉદ્યોગની અંદર કામ કરતા લોકોની સલામતી તથા ઉદ્યોગકકારોના જાનમાલને કોઈપણ સમયે આગ અકસ્માતની ઘટના બને ત્યારે ઓછામાં ઓછો નુકસાન થાય તેના માટે થઈને આજની તારીખે પણ મોરબી જિલ્લામાં એક પણ અધ્યતન ફાયર સ્ટેશન નથી જેના કારણે આગ અકસ્માતની કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે હર હંમેશ અન્ય જિલ્લાઓમાંથી ફાયરના સાધનો સાથેની ટીમોને મોરબી જિલ્લામાં આવે ત્યાં સુધી નુકશાન થાય તે સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ આજની તારીખે પણ મોરબી શહેર કે જીલ્લામાં નથી






Latest News