મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ય સમાજ દ્વારા ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન


SHARE







મોરબીમાં આર્ય સમાજ દ્વારા ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં આર્યસમાજ દ્વારા ભારતવર્ષના પિતામહ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે મોરબીના આંગણે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

મોરબી આર્ય સમાજ દક્ષિણ પ્રેરિત મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિશતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આગામી તા ૨૪ ડિસેમ્બરે સવારના ૭ કલાકે આર્ય ભૂમિ ખાતે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારના ૭:૩૦ થી ૧૦ વાગ્યા સુધી વૈદિક યજ્ઞ૧૦ થી ૧૨ સુધી ધર્મસભાપ્રવચનઆર્શીવચનનો કાર્યક્રમ યોજાશે. આ યજ્ઞમાં બેસવાનું નિ:શુલ્ક છે તથા કોઈ જ્ઞાતિબાધ નથી. તેમજ યજ્ઞમાં બેસવા માટે એસ.પી. રોડધ વન અપ પાસેદુકાન નં.૨ખાતે આવેલા કાર્યાલયમાં સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન રૂબરૂ આવીને ફોર્મ ભરીને નોંધણી કરાવવાની રહેશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જાહેર નિમંત્રણ આપ્યું છે.






Latest News