મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના દિવાનપરામાં બાંધકામનો કાટમાળ તોડતા સમયે ઇજા પામેલા બે વ્યક્તિના મોત


SHARE







વાંકાનેરના દિવાનપરામાં બાંધકામનો કાટમાળ તોડતા સમયે ઇજા પામેલા બે વ્યક્તિના મોત

વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ જૂની પીજીવીસીએલની કચેરીનો કાટમાળ તોડવા માટેની કામગીરી કરવામાં આવી હતી દરમિયાન દરવાજા ઉપરથી છજુ પડતા અને દિવાલ પડવાના કારણે કુલ મળીને બે મજૂરો ત્યાં દટાયા હતા જે પૈકીના એકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, એક યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું પણ મોત નીપજયું હતું આમ આ ઘટનામાં કુલ મળીને બે વ્યક્તિઓના મોત નીપજયાં છે જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ દિવાનપરા વિસ્તારમાં જૂની પીજીવીસીએલની કચેરીનું ભાડા વાળુ બિલ્ડીંગ ખાલી પડ્યું હતું જે બિલ્ડીંગનું નવીનીકરણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જૂના બાંધકામને તોડવા માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્યાં દિવાલ પડવાના કારણે અરજણભાઈ રાજેશભાઈ બાલસિંગ જાતે ભીલ (૧૮) નામના યુવાનની ઉપર તે દિવાલનો કાટમાળ પડતાં તેનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું જો કે, આ ઘટનામાં દરવાજા ઉપરનું છજુ માથા ઉપર પડવાથી મૂનસિંગ કેનસિંગ ડામોર (૪૫) રહે. ગોકુલનગર ઝૂપડા વાંકાનેર વાળાને ગંભીર ઇજા થઇ હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતની આ ઘટનામાં કુલ મળીને બે વ્યક્તિઓના મોત નીપજયાં છે તે અંગેની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મુનસિંગ ડામોરને સંતાનમાં ચાર દીકરા અને ચાર દીકરી છે આ અકસ્માતની ઘટનાના કારણે આઠ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવેલ છે






Latest News