મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી ઇજા પામેલા આધેડનું મોત


SHARE











વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી ઇજા પામેલા આધેડનું મોત

વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા તેઓ પડી ગયા હતા અને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને વાંકાનેરમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ નરસીભાઈ સોલંકી જાતે કોળી (૫૦) નામના આધેડ પોતાના ઘરે અગાસીમાં પગથીયા ચડતી વખતે પગે ઠેસ વાગતા પડી ગયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પરિવારજન નીતિનભાઈ અરવિંદભાઈ સોલંકી રહે. દિવાનપરા રણજીતપરા ભારત ઓઇલ મીલની પાછળ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલાનું મોત

અમદાવાદમાં ઇન્ડિયા બુલ્સ સેન્ટમ સરસપુર ખાતે રહેતા હિરલબેન ભરતભાઈ ડાભી જાતે રજપૂત (૩૯) નામની મહિલા વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે હતી ત્યારે તેને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા સારવાર દરમિયાન ત્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની મોરબીની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News