મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી


SHARE







મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી

મોરબીમાં ભાજપ શાસિત નગરપાલીકાની બેદરકારીને કારણે શહેરમાં ઠેર ઠેર ગંદકી વધી રહી છે અને ગંદકીની સાથોસાથ મચ્છરજન્ય રોગચાળો જેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, તાવના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત મોરબી પાલીકામાં ભ્રષ્ટાચારનો ભોરીંગ બેફામ બન્યો છે

ભાજપ અને ભ્રષ્ટાચાર એક મેકના પર્યાય છે મોરબી પાલીકામાં ભાજપનું શાસન છે અને ભાજપ સંપુર્ણ બહુમતિ સાથે સતારૂઢ થયેલ છે ત્યારે આજે મોરબી ભયાનક કચરાનગરમાં ફેરફાઈ ગયુ છે શહેરનાં દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય, શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, વરસાદી પાણીનાં મસમોટા ખાબોચીયા અને ઉબડખાબડ બનેલ રસ્તાઓની પીડાથી લોકો ત્રાહિમામ છે ત્યારે સુધરાઈના અધિકારી, પદાધિકારી કે કલેકટર કેમ તે બાબતે ધ્યાન આપતા નથી તે સૌથી મોટો સવાલ છે

મોરબીના લોકો મોટા ટેક્ષ પાલિકાને આપે છે તો પણ પાયાની સુવિધા લોકોને આપવામાં આવતી નથી માર્કેટ પાછળની ગંદકી, નવા બસ સ્ટેન્ડ સામે ભાજપ કાર્યાલયની સામે આવેલ સુપર માર્કેટ જેવા વાણીજય સંકુલના ગ્રાઉન્ડમાં ઉભરાતી ગટર આવી જ રીતે સાવસર પ્લોટમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન, ગલીગલીએ ઉભરાતી ગટરો અને રખડતા પશુઓ, ઉકરડા, ઉબડ ખાબડ રસ્તા અને ધુળની ઉડતી ડમરીઓ હવે મોરબીની ઓળખ બની ગયેલ છે ત્યારે પાલિકાના અધિકારી અને પદાધિકારીએ આ મુદે ગંભીરતાથી વિચારવું જોઈએ અને નકકર કાર્યવાહી કરી માનવ સર્જિત મુશ્કેલીનું નિરાકરણ કરવું જોઈએ






Latest News