ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી


SHARE











મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી

મોરબીમાં ભાજપ શાસિત નગરપાલીકાની બેદરકારીને કારણે શહેરમાં ઠેર ઠેર ગંદકી વધી રહી છે અને ગંદકીની સાથોસાથ મચ્છરજન્ય રોગચાળો જેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, તાવના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત મોરબી પાલીકામાં ભ્રષ્ટાચારનો ભોરીંગ બેફામ બન્યો છે

ભાજપ અને ભ્રષ્ટાચાર એક મેકના પર્યાય છે મોરબી પાલીકામાં ભાજપનું શાસન છે અને ભાજપ સંપુર્ણ બહુમતિ સાથે સતારૂઢ થયેલ છે ત્યારે આજે મોરબી ભયાનક કચરાનગરમાં ફેરફાઈ ગયુ છે શહેરનાં દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય, શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, વરસાદી પાણીનાં મસમોટા ખાબોચીયા અને ઉબડખાબડ બનેલ રસ્તાઓની પીડાથી લોકો ત્રાહિમામ છે ત્યારે સુધરાઈના અધિકારી, પદાધિકારી કે કલેકટર કેમ તે બાબતે ધ્યાન આપતા નથી તે સૌથી મોટો સવાલ છે

મોરબીના લોકો મોટા ટેક્ષ પાલિકાને આપે છે તો પણ પાયાની સુવિધા લોકોને આપવામાં આવતી નથી માર્કેટ પાછળની ગંદકી, નવા બસ સ્ટેન્ડ સામે ભાજપ કાર્યાલયની સામે આવેલ સુપર માર્કેટ જેવા વાણીજય સંકુલના ગ્રાઉન્ડમાં ઉભરાતી ગટર આવી જ રીતે સાવસર પ્લોટમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન, ગલીગલીએ ઉભરાતી ગટરો અને રખડતા પશુઓ, ઉકરડા, ઉબડ ખાબડ રસ્તા અને ધુળની ઉડતી ડમરીઓ હવે મોરબીની ઓળખ બની ગયેલ છે ત્યારે પાલિકાના અધિકારી અને પદાધિકારીએ આ મુદે ગંભીરતાથી વિચારવું જોઈએ અને નકકર કાર્યવાહી કરી માનવ સર્જિત મુશ્કેલીનું નિરાકરણ કરવું જોઈએ






Latest News