મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વલ્લભ વિદ્યાનગર ખાતેથી પ્રેમી યુવક સાથે ભાગીને વાંકાનેર નજીક કારખાનામાં આવીને રોકાયેલ સગીરનું ઉલ્ટી બાદ મોત


SHARE







વલ્લભ વિદ્યાનગર ખાતેથી પ્રેમી યુવક સાથે ભાગીને વાંકાનેર નજીક કારખાનામાં આવીને રોકાયેલ સગીરનું ઉલ્ટી બાદ મોત

વલ્લભ વિદ્યાનગર ખાતેથી પ્રેમી યુવક સાથે ભાગીને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સગીરા સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહીને ત્યાં સગીરા અને તે યુવક કામગીરી કરતા હતા દરમિયાન સગીરાને પેટમાં દુખાવો પડતાં તેની દવા લઈ આવ્યા હતા અને ત્યારબાદ તે સગીરાને ઉલટી થઈ હતી અને લેબર ક્વાર્ટર ખાતે જ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવેલ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ વલ્લભ વિદ્યાનગર ખાતેથી પ્રેમી યુવક તેની સગીર પ્રેમિકાને લઈને ભાગીને મોરબી જિલ્લા બાજુ આવી ગયો હતો અને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની હદમાં આવેલ સીરામીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરવા લાગ્યો હતો દરમ્યાન સગીરાને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેની દવા લીધી હતી અને ત્યારબાદ તે સગીરા લેબર કવાર્ટરમાં હતી ત્યાં તેને ઉલટી થઈ હતી અને ત્યારબાદ તે સગીરાનું મોત નીપજ્યું હતું જેથી કરીને સગીરાના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે સગીરાના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ જસપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

દેશી દારૂની ભટ્ઠી

ટંકારા તાલુકાના લજાઈ ગામે જૂના નળિયા વાળા મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવા અંગેની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી તૈયાર દેશી દારૂ ૫૦ લિટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૬૦ લિટર આથો ગેસના ત્રણ, બાટલા ગેસના ત્રણ ચૂલા, એલ્યુમિનિયમના તપેલા તથા અન્ય મુદ્દા માલ મળીને કુલ ૬૫૭૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આરોપી જયરાજસિંહ ઉર્ફે જયપાલસિંહ અરવિંદસિંહ ઝાલા રહે. તાલુકો ટંકારા વાળો હાજર ન હોવાથી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની છે






Latest News