મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો


SHARE











મોરબીમાં સખી ક્લબ-દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર- નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાયો

મોરબીના પ્રસંગ હોલ ખાતે સખી ક્લબ અને દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથીના સેમિનાર અને નિઃશુલ્ક નિદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ અંજુબેન પડલિયાપીયૂતાબેન પટેલસુનિલભાઈ પરમારપાલિકા પ્રમુખ કુશુમબેન પરમાર, દીપકભાઈ સોમૈયાપરેશભાઈ ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા અને આ સેમિનારમાં ગુ.રા.બોર્ડ યોગની ટીમયુવા આર્મી ટીમલાયન્સ ક્લબ ટીમ તેમજ મોરબીની જનતા જોડાઈ હતી. ત્યારે મુખ્ય વક્તા નેચથેરાપીસ્ટ અંજુબેન પડલિયાએ નેચરોપેથી શું છેનેચરોપેથી જે આપણી વેદો આધારિત ચિકિત્સા છે જેમાં માટી ચિકિત્સાજલ ચિકિત્સા અને આહાર ચિકિત્સા દ્વારા કઈ રીતે શરીરના હઠીલા રોગો દૂર કરું શકાય છે તેની માહિતી આપી હતી તેમજ આ સેમિનારમાં માટીથી બનેલા કાયાપલટના પ્રોડક્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબીની ગિતંજલી સ્કુલના વિદ્યાર્થીઓએ હોંશે હોંશે નેચરોપેથી પર પ્રોજેક્ટ બનાવ્યો હતો તે પણ ત્યાં રાખવામા આવ્યો હતો અને બપોરના ૨ વગ્યા થી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેનો ઘણા લોકોએ લાભ લીધો હતો અને આજની તેમજ આવનાર પેઢીને ફરી પ્રકૃતિ તરફ વાળીને નેચરોપેથી સારવાર કરી કેમિકલ મુક્ત ભારત બનાવવા માટે આ કાર્યક્રમનું અયોજન સખી ક્લબના નિધિબેન પટેલએ કર્યું હતું.






Latest News