મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે રામબાઈ માં મંદિરે સ્નેહમિલન: ઘૂટું-હડમતીયા ગામે નાટકના આયોજન


SHARE







માળીયા (મી)ના વવાણીયા ગામે રામબાઈ માં મંદિરે સ્નેહમિલન: ઘૂટું-હડમતીયા ગામે નાટકના આયોજન

માળીયા મિયાણાંના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માં મંદિરે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું  છે તો મોરબીના ઘૂટું ગામે અને ટંકારાના હડમતીયા ગામે નાટકના આયોજનો કરવામાં આવેલ છે

વવાણીયા ગામ
માળીયા મિયાણાંના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માં મંદિરે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું  છે અને રામબાઈ માં મંદિર ખાતે તા ૧૪ ને મંગળવારે સવારે ૯ કલાકે નુતન વર્ષ સ્નેહમિલન, અન્નકૂટ દર્શન અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન દર વર્ષની જેમ કરાયું છે. જેથી જ્ઞાતિજનોને તેમાં હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે આ આયોજનમાં ધીરુભાઈ હરિભાઈ રાઠોડ (રાજકોટ), કિશોરભાઈ તથા અશોકભાઈ ઉગાભાઇ ડાંગર (રાજકોટ), ગોવિંદભાઈ રામભાઈ હુંબલ (પરાપીપળીયા) તથા લાભુભાઈ પ્રભાતભાઈ હુંબલ (પરાપીપળીયા) વગેરે અન્નકૂટ મહોત્સવના મુખ્ય સહયોગીઓ છે.

ઘુંટુ (હરીનગર) ગામ
ઘુંટુ (હરીનગર) ગામે ઘુંટુની બાપા સિતારામ ગૌશાળાના લાભાર્થે નાટક અને કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે આરડીસી બેંકની બાજુમાં તા ૧૦ ને શુક્રવારે રાત્રે ૯:૩૦ કલાકે બજરંગ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “સમ્રાટ હર્ષ” નાટક અને સાથે પેટ પકડીને હસાવવા માટે “બુધ્ધીચટ” નાટક રજુ કરવામાં આવશે. જેનો લોકોએ લાભ લેવા માટે અને ગૌસેવાના કામમાં સહયોગ આપવા માટે આયોજકોએ આપીલ કરેલ છે

હડમતીયા ગામ
ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે સાંસ્કૃતિક યુવક મંડળ દ્વારા નાટક "વીર માંગડાવાળો યાને કે ભુત રુવે ભેંકાર"  સાથે હારયનું વાવાઝોડું "કોકમની કઠણાઈ"નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૦ ને શુક્રવારે રાત્રે ૯-૩૦ કલાકે હડમતીયા ગામે ગાયોનાં ગોંદરે નાટક રાખવામા આવેલ છે તેમાં આવવા માટે ગામના લોકો તેમજ આસપાસના લોકોને  હડમતીયા સાંસ્કૃતિક યુવક મંડળ તથા ગામ સમસ્ત દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News