ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે એક દિવસીય આધ્યાત્મિક વિકાસ  શિબિર યોજાઇ


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે એક દિવસીય આધ્યાત્મિક વિકાસ  શિબિર યોજાઇ

મોરબીના પરશુરામ ધામ ખાતે રામચરિત માનસ સિદ્ધાંત આધારિત એક દિવસીય આધ્યાત્મિક વિકાસ  શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર સ્વર્ગીય સરોજબેન ભુપતભાઈ પંડ્યા તથા સ્વ ભાનુમતિબેન કે. ભટ્ટ ના સ્મરણાર્થે પરશુરામ ધામ ટ્રસ્ટ તથા બ્રહ્મ આગેવાન યુવાનો તથા મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે શિબિરના મુખ્ય વક્તા ડો. ગોપાલ શાસ્ત્રીજી હતા આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ નવી ભોજન પ્રથાથી દવા વિના રોગમુક્તિનો હતો આ શિબિરનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ભોજન લેવાથી દવા વગર શરીરમાં એક કે બે મહિનામાં કોઈ પણ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે આવું ગોપાલ શાસ્ત્રીજી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૩૦ થી  વધારે લોકોએ ભાગ લીધેલ હતો આ શિબિરને સફળ બનાવવા માટે ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, કિશનભાઇ ઉપાધ્યાય, અતુલભાઈ જોશી, હરેશભાઈ જાની, સુરેશભાઈ જોશી, જીતુભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, મુકેશભાઈ જાની, મુકેશભાઈ રાજગોર, રાજુભાઈ ત્રિવેદી, ધ્યાનેશ ભાઈ રાવલ, કિરણબેન ઠાકર, નીલાબેન પંડિત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News