મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેંચાણ,લિયો ક્લબ દ્વારા વિના મૂલ્યે સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા


SHARE







મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેંચાણ,લિયો ક્લબ દ્વારા વિના મૂલ્યે સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા

મોરબીના સનાળા રોડ માર્કેટિંગ યાર્ડની બાજુમાં આરડીસી બેંકના દરવાજા પાસે નવા હાઉસિંગ બોર્ડ સનાળા રોડ ખાતે રાહત દરે નેચરલ વસ્તુનું વિતરણ થતું હોય છે તે મુજબ આવતીકાલ તા.૫ ને રવિવારે સવારના ૮ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી રાહત દરે નેચરલ વસ્તુનું વેચાણ થશે તેમ હરડે પ્રચાર કેન્દ્રના જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવેલ છે જેમાં રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, હરડે પાવડર, ગીલોય ઘનવતી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના  પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા-વેલણ-જેરણી, દેશી ટામેટા,ગોલ્ડન બેરી વિગેરે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લેશો.તેમજ નિરોગી રહેવી પ્રકૃતિ તરફ વળો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા ઘરેથી કાપડની થેલી સાથે લાવવા જણાવેલ છે.

લિયો ક્લબ દ્વારા વિના મૂલ્યે સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા
મીરબીની જુદી જુદી શાળાઓના બાળવાટીકાથી ધો.૭ સુધીના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણ પ્રાસના ટીપાં પીવડાવ્યા હતી.લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા સુવર્ણપ્રાશન ટીપા આપવાના આયોજન ભાગરૂપે મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, માણેકવાડા શાળા, મહેન્દ્રનગર કુમાર અને કન્યા શાળાના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને પુષ્ય નક્ષત્રમાં નિઃશુલ્ક ટીપા પીવડાવવામાં આવ્યા હતા.સુવર્ણપ્રાશનના ઘણા ફાયદા છે જેમકે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.પાચનતંત્રમા સુધારો કરે છે, યાદશક્તિમાં વધારો કરે છે, ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે, તાવ-શરદી-ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે, શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ બનીને વાન ઉજળો કરે છે, તેજસ્વી તથા ચપળ બનાવે છે.આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી.આ ટીપાં પીવડાવવામાં ક્રિષ્નાબેન રૂપાલા અને સંદીપભાઈ લોરીયા મોરબી તાલુકા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જહેમત ઉઠાવી હતી.






Latest News