મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં વર્ષ ૨૦૧૭ માં થયેલ અપહરણ અને બળાત્કારના ગુનામાં કોર્ટ દ્વારા આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૧૪-૭-૨૦૧૭ ના રોજ આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ઉ.વ.૧૬ વર્ષ ૧૦ માસ (જેતે સમયે) વાળી સગીર વયની હોવાનું આરોપી જાણતા અને માનતા હોવા છતાં ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને પાલનપુર મુકામે લઇ જઈને ભોગ બનનાર સગીર વયની હોવાનું આરોપી જાણતા હોવા છતાં એક રૂમ ભાડે રાખી એક કરતા વધુ વખત જાતીય હુમલો કરી, અવાર નવાર શરીર સંબંધ બાંધી, જાતીય સતામણી કરી બળાતકાર (સંભોગ) કરતા આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ કાયદેસર થવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલી આ ફરીયાદ અનુસંધાને પોલીસે આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરેલ અને સ્પે.પોકસો કેસ નંબર ૪૨/૨૦૧૮ આપવામાં આવેલ આ કેસમાં આરોપીના વકીલ હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ અને તેઓએ પુરાવાના આધારે તેમજ ધારદાર દલીલો કરતા આ કામના આરોપીને વિશેષ ન્યાયધીશ (પોક્સો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયાધીશ ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ-મોરબીએ આરોપી કાનજીભાઈ મોહનભાઈ રાણવા રહે. નાના રામપર તા.ટંકારા જી.મોરબી વાળાને ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(આઈ) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ કલમ ૩(એ), ૪ તથા ૬ મુજબના શીક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ક૨વામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફથી મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી હરદેવસિંહ એચ.જાડેજા રોકાયેલ હતા






Latest News