મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ની બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનુભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ


SHARE











માળિયા (મી)ની બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનુભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ

માળીયા (મી) તાલુકાનાં શ્રી મોટા દહીંસરા તાલુકા શાળા તથા પેટાશાળા દ્વારા બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય તથા માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિનુભાઈ રાઠોડનો વય નિવૃત્તિ સન્માન સમારોહ નવલખી રોડે આવેલ સનાતન હોટેલ ખાતે ડૉ. શર્મિલાબેન હૂંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. જેમાં માળિયા  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હૂંબલ, માળિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠનમંત્રી અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઇ હૂંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ તથા મોટા દહીંસરા તાલુકા શાળાના તમામ આચાર્યઓ તથા શિક્ષક ભાઈઓ અને બહેનો સહિતના હાજર રહયા હતા અને અધિકારીઓએ તેમજ પદાધિકારીઓએ વિનુભાઈ રાઠોડને પુષ્પગુચ્છ, શાલ,શ્રીફળ પડો તથા મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યુ હતું અને તેઓના ઉમદા વ્યક્તિત્વ તથા કર્મનિષ્ઠ શિક્ષક તરીકેની કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી આ તકે ડૉ. શર્મિલાબેન હૂંબલ, ઘનશ્યામ ભાઈ દેથરિયા તથા દિનેશભાઇ હૂંબલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું અને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન માનસેતા કાંતિલાલ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News